રોહિત-તિલકની પાર્ટનરશિપે મુંબઈને સીઝનની પહેલી જીત અપાવી

રોહિત-તિલકની પાર્ટનરશિપે મુંબઈને સીઝનની પહેલી જીત અપાવી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં ખૂબ જ રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે અંતે બાજી મારી લીધી હતી. મુંબઈએ છેલ્લા બોલે 173 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો અને આ સિઝનની પહેલી જીત મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ 45 બોલમાં 65 રન બનાવ્યા હતા. તેમણે 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી આ શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમણે પહેલી જ ઓવરથી ફટકાબાજી શરૂ કરી દીધી હતી. જેના કારણે પહેલેથી મેળવેલી રિધમને તેઓએ ગુમાવ્યા વિના શાનદાર શોટ્સ પણ ફટકાર્યા હતા, અને 808 દિવસ એટલે કે 25 ઇનિંગ્સ પછી ફિફ્ટી ફટકારી હતી.

173 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર ઈશાન કિશને કરી હતી. બન્નેએ 5મી ઓવરમાં જ 50 રનની પાર્ટનરશિપ થઈ ગઈ હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 44 બોલમાં 71 રનની પાર્ટનરશિપ થઈ હતી. પાવરપ્લેની 6 ઓવરમાં ટીમનો સ્કોર વિના નુકશાન 68 રન હતો.

રોહિત અને તિલકે મિડલ ઓવર્સમાં સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું
ઈશાન કિશનના આઉટ થયા પછી નંબર-3 પર તિલક વર્મા આવ્યો હતો. તેણે અને રોહિત શર્માએ ટીમનું સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું. આ દરમિયાન રોહિતે પોતાની લીગની 41મી ફિફ્ટી પૂરી કરી હતી. તિલકે પણ શાનદાર ફોર્મમાં રહેતા 29 બોલમાં 41 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને તિલક વર્મા વચ્ચે 52 બોલમાં 68 રનની પાર્ટનરશિપ થઈ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow