શિયાળામાં વધી જાય છે વાઢીયા પડવાની સમસ્યા, જાણો તેના પાછળના સૌથી મોટા કારણો અને ઉપાય

શિયાળામાં વધી જાય છે વાઢીયા પડવાની સમસ્યા, જાણો તેના પાછળના સૌથી મોટા કારણો અને ઉપાય

શિયાળાની ઋતુમાં લોકો અનેક સમસ્યાઓથી પરેશાન રહે છે. આ સિઝન સ્કીનને પણ બગાડે છે. તેથી જ આ ઋતુમાં સ્કીન ડ્રાય  બની જાય છે. આ સિવાય પગની ત્વચા પણ આ ઋતુમાં બગડી જાય છે.

મોટાભાગના લોકોને શિયાળામાં વાઢીયા પડવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. બીજી તરફ, વાઢીયા પડવાથી પગની સુંદરતા ઘટી જાય છે. પરંતુ વાઢીયાની સમસ્યાને અવગણવી જોઈએ નહીં. ચાલો જાણીએ શિયાળામાં હીલ્સ ફાટવાના કારણો શું છે?

શિયાળામાં વાઢીયા પડવાના કારણ કયા કયા છે?
ખુલી એડીના જૂતા-ચપ્પલ પહેરવા
જો તમે શિયાળામાં ખુલ્લી એડીના શૂઝ પહેરો છો. તો તેના કારણે શિયાળાની ઋતુમાં તમારી હીલ્સ ફાટી શકે છે. આનું કારણ એ છે કે ખુલ્લા જુતા-ચપ્પલમાંથી ધૂળ, ગંદકી અને પ્રદૂષણના કણો એડીની ત્વચા પર એકઠા થાય છે. જેના કારણે એડીઓ ફૂટવા લાગે છે. આવી સ્થિતિમાં તમારે શિયાળાની ઋતુમાં હંમેશા બંધ શૂઝ પહેરવા જોઈએ. આનાથી તમે વાઢીયાની સમસ્યાથી બચી શકો છો.

ગરમ પાણીથી કરો સ્નાન
જો તમે શિયાળામાં ખૂબ જ ગરમ પાણીથી સ્નાન કરો છો, તો તમારી હીલ્સ ફાટી શકે છે. કારણ કે ગરમ પાણી ત્વચાને ડ્રાય કરી શકે છે. આવી સ્થિતિમાં તમારી એડીઓ ડ્રાય અને બેજાન બની શકે છે. તેથી જો તમે ફાટેલી એડીમાંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો શિયાળામાં તમે નવશેકા પાણીથી સ્નાન કરી શકો છો. આ સાથે તરત જ હીલ્સને મોઈશ્ચરાઈઝ કરો.

ડ્રાય સ્કિન
શિયાળામાં મોટાભાગના લોકોની ત્વચા ડ્રાય થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારી હીલ્સ ફાટવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમારી ત્વચા ખૂબ જ શુષ્ક છે. તો તમારે રાત્રે સૂતા પહેલા લોશન લગાવીને સૂવું જોઈએ.‌

લાંબા સમય સુધી ઉભુ રહેવું
જો તમે શિયાળામાં જૂતા અને ચપ્પલ પહેર્યા વગર લાંબો સમય ઉભા રહેશો તો તમારે વાઢીયાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે શિયાળામાં હંમેશા મોજાં પહેરો.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow