IPL-16ની પ્લેઓફ મેચ ચેન્નાઈ-અમદાવાદમાં યોજાશે

IPL-16ની પ્લેઓફ મેચ ચેન્નાઈ-અમદાવાદમાં યોજાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનની પ્લેઓફ મેચની તારીખો અને સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. IPLએ તેની ઓફિશિયલ વેબસાઈટ પર આ જાણકારી આપી છે. ચેન્નાઈ અને અમદાવાદમાં ક્વોલિફાયર, એલિમિનેટર અને ફાઈનલ સહિત કુલ 4 મેચ રમાશે. બન્ને શહેરોને 2-2 મેચ આપવામાં આવી છે.

23 મેથી પ્લેઓફ મેચ યોજાશે
IPLમાં કુલ 4 પ્લેઓફ મેચ હોય છે. પોઇન્ટ્સ ટેબલની ટોપ-2 ટીમ વચ્ચે ક્વોલિફાયર-1, ત્રીજા અને ચોથા નંબરની ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ છે. ક્વોલિફાયર-1 જીતનારી ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે અને હારનાર ટીમ ક્વોલિફાયર-2 રમશે. જે ટીમ એલિમિનેટર જીતશે તે ક્વોલિફાયર-2માં આગળ વધશે. ક્વોલિફાયર-2 જીતનારી ટીમ ફાઈનલમાં ક્વોલિફાયર-1ના વિજેતા સાથે રમે છે.

IPLના નવા શિડ્યૂલ મુજબ ક્વોલિફાયર-1 ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં 23 મેના રોજ અને એલિમિનેટર 24 મેના રોજ ચેન્નાઈમાં જ યોજાશે. ક્વોલિફાયર-2 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને ફાઈનલ મેચ 28 મેના રોજ અમદાવાદમાં રમાશે.

ગત વખતની જેમ IPLના લીગ તબક્કામાં પણ 10 ટીમ ભાગ લઈ રહી છે. 31 માર્ચથી શરૂ થયેલી લીગ તબક્કાની મેચ 21 મે (રવિવાર) સુધી ચાલશે. લીગ તબક્કાની છેલ્લી 2 મેચ 21મીએ રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 69મી મેચ અને લીગ સ્ટેજની 70મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.

લીગ સ્ટેજ પૂરી થયા પછી પોઇન્ટ્સ ટેબલની ટોપ-4 ટીમ નક્કી થશે. આ 4 ટીમ લીગ તબક્કાના 2 દિવસ બાદ યોજાનારી પ્લેઓફ મેચમાં ભાગ લેશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow