ફડણવીસનાં પત્નીને ધમકી આપનારની ધરપકડ કરાઈ

ફડણવીસનાં પત્નીને ધમકી આપનારની ધરપકડ કરાઈ

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને લાંચની ઓફર તેમજ ધમકી આપવાના મામલે મુંબઇ પોલીસે ડિઝાઇનર અનિક્ષાની ધરપકડ કરી છે. અનિક્ષા લગભગ 16 મહિનાથી અમૃતાના સંપર્કમાં હતી. અમૃતાએ તેની સામે એફઆઈઆર નોંધાવી છે.

માહિતી મુજબ, ઉલ્હાસનગરની રહેવાસી અનિક્ષા સટ્ટાબાજ અનિલ જયસિંઘાનીની પુત્રી છે. અનિલ વિરુદ્ધ મહારાષ્ટ્ર, ગોવા અને આસામમાં ઘણા કેસ નોંધાયેલા છે. અમૃતાનો આરોપ છે કે અનિક્ષાએ પોતાના પિતાની સામેના અપરાધિક કેસોને બંધ કરવા માટે એક કરોડની લાંચની ઓફર કરી હતી. એટલું જ નહીં કાવતરું રચીને ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. અમૃતાએ કહ્યું હતું કે 18 અને 19 ફેબ્રુઆરીએ અનિક્ષાએ અજાણ્યા નંબર પરથી વીડિયો ક્લિપ્સ, વૉઇસ નોટ્સ અને મેસેજ મોકલ્યા હતા. અમૃતાએ 20 ફેબ્રુઆરીએ ડિઝાઇનર અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નાયબ મુખ્યમંત્રી ફડણવીસે આ મામલાને રાજકીય કાવતરા તરીકે ગણાવીને કહ્યું છે કે લાંચરુશ્વત મામલામાં તેમને ફસાવવા માટે આ તમામ કાવતરાં ઘડવામાં આવ્યાં છે. તેમના રાજકીય કેરિયરને ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ગૃહમાં તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર બદલાઇ ગયા બાદ ડિઝાઇનરે સટોડિયાઓની સાથે પોતાના સંપર્કો અંગે અમૃતાને માહિતી આપી હતી. સટોડિયાઓની માહિતી આપવાની પણ વાત કરી હતી. ડિઝાઇનરે સંકેત આપ્યો હતો કે, તેના પિતાની સામે કેસ પરત ખેંચવામાં નહીં આવે તો તેમને ફસાવી દેવાશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow