એકમાત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા જેને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ સંભળાવેલો છે, ગીતાના સૂત્ર જીવન જીવવાની કળા શીખવે છે

એકમાત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા જેને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ સંભળાવેલો છે, ગીતાના સૂત્ર જીવન જીવવાની કળા શીખવે છે

શનિવાર, 3 ડિસેમ્બરે ગીતા જયંતી છે. આ વખતે પંચાંગ ભેદ હોવાના કારણે થોડાં પંચાંગોમાં રવિવારે પણ એકાદશી તિથિ હોવાનું જણાવવામાં આવ્યું છે. અનેક પૌરાણિક ગ્રંથ છે અને તેની રચના મનુષ્યોએ જ કરી છે, પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે, જેને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સંભળાવ્યો છે. શ્રીકૃષ્ણના મુખથી પ્રકટ થવાના લીધે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્ત્વ સૌથી વધારે છે. આ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવવામાં આવે છે.

માગશર સુદ એકાદશીએ શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો
મહાભારત યુદ્ધની શરૂઆતમાં માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ કારણે આ ગ્રંથમાં કોઈપણ જગ્યાએ શ્રીકૃષ્ણ ઉવાચ લખવામાં આવ્યું નથી, દરેક જગ્યાએ શ્રી ભગવાન ઉવાચ લખવામાં આવ્યું છે. તેનો અર્થ એવો છે કે શ્રી ભગવાન કહે છે. ગીતા જયંતીની તિથિને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે.

બધા વેદ, ઉપનિષદ અને પુરાણોનો સાર ગીતા ગ્રંથ છે
પં. શર્મા કહે છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં બધા વેદ, ઉપનિષદ અને પુરાણોનો સાર છે. આ ગ્રંથનો પાઠ કરવાથી અને તેમાં જણાવેલાં સૂત્રોને જીવનમાં ઉતારવાથી આપણી બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે. ગ્રંથોમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન માર્ગ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આ ગ્રંથના 18 અધ્યાયોમાં શ્રીકૃષ્ણના ઉપદેશ છે. આ ઉપદેશથી આપણી બધી જ શંકાઓ દૂર થાય છે અને આપણને જીવનમાં સફળતા સાથે જ સુખ-શાંતિ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ.

ગીતા જીવન જીવવાની કથા શીખવે છે
ગીતા આપણને જીવન જીવવાની કળા શીખવે છે. ગીતાનો મૂળમંત્ર એ છે કે આપણે દરેક સ્થિતિમાં કર્મ કરતા રહેવાનું છે. ક્યારેય નિષ્કામ ન રહીએ, કેમ કે કર્મ ન કરવું પણ એક કર્મ જ છે અને આપણને તેનું ફળ પણ ચોક્કસ મળે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow