જેતપુરમાં સાર્વજનિક બાગની દીવાલ પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું

જેતપુરમાં સાર્વજનિક બાગની દીવાલ પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું

જેતપુરના રૈયારાજનગરમાં આવેલા માધવ પાર્કના સાર્વજનિક બગીચા પર એક પરિવારે કબજો જમાવી લીધાના બનાવમાં કાર્યવાહી કરાઇ હતી અને નગરપાલિકા દ્વારા કમ્પાઉન્ડ વોલનું ડિમોલિશન કરી સ્થાનિકો માટે ખુલ્લો મુકાયો હતો.

કેનાલ કાંઠે આવેલા રૈયારાજનગરના માધવ પાર્કમાં રૈયાણી પરીવાર દ્વારા બિનખેતી કરવામાં આવેલ અને બિનખેતીમાં સાર્વજનિક પ્લોટ પોતાના પરીવારની પ્લોટની વચ્ચે આવે તે રીતે પ્લોટીંગ કરાયું હતું અને તમામ પ્લોટ વેચાઇ ગયા બાદ બગીચો બનાવી ખાનગી હોય તે રીતે ત્યાં લોખંડના દરવાજા મૂકી દેવાયા હતા.

આ બાબતે મહિલાઓ દ્વારા ચીફ ઓફિસરને સાર્વજનિક બગીચો ખુલ્લો કરાવવા રજૂઆત કરાઇ હતી અને તે સફળ રહી હતી જેમાં બગીચાની કમ્પાઉન્ડ વોલ દૂર કરવા પાલિકાનું બુલડોઝર આવી પહોંચ્યું હતું અને કમ્પાઉન્ડ વોલ તોડી પડાઇ હતી અને તેના પગલે સાર્વજનિક બગીચો ખુલ્લો થઈ ગયો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow