સરકાર ખેડૂતો પાસેથી ઘઉંની સાથે જાડું ધાન્ય (મિલેટ્સ) ટેકાના ભાવે ખરીદશે

સરકાર ખેડૂતો પાસેથી ઘઉંની સાથે જાડું ધાન્ય (મિલેટ્સ) ટેકાના ભાવે ખરીદશે

વિશ્વમાં 2023ને ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે હવે મિલેટ્સ એટલે કે જાડું ધાન્ય પણ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ઘઉંની સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે. કેબિનેટમાં આ મામલે નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવે અનાજ વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાના રહેશે.

આજથી નોંધણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે જે 31મી માર્ચ સુધી ચાલશે. 1થી 15મી જૂન સુધી કુલ 237 ખરીદ કેન્દ્રો- ગોડાઉન પરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.ડુંગળી- બટાટાના ખેડૂતોને સહાય માટે ટૂંકમાં નિર્ણય લેશે ઃ રાજ્યમાં તાજેતરમાં ડુંગળી અને બટાટાના પોષણક્ષમ ભાવો મળી રહ્યા નહીં હોવાથી ખેડૂતોને પારાવાર આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ડુંગળી અે બટાટા પકવતા ખેડૂતોને સહાય માટે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow