અષ્ટમી અને નવમી પર વ્રત-ઉપવાસથી જ મળી શકે છે નવ દિવસ સુધી શક્તિપૂજાનું ફળ

અષ્ટમી અને નવમી પર વ્રત-ઉપવાસથી જ મળી શકે છે નવ દિવસ સુધી શક્તિપૂજાનું ફળ

29 માર્ચે અષ્ટમી અને 30 માર્ચે નવી તિથિ પર નવરાત્રિ સમાપ્ત થઈ જશે. જે લોકો આખી નવરાત્રિ દરમિયાન વ્રત ન રાખી શકતાં હોય કે દેવી આરાધના ન કરી શકતાં હોય એ લોકો માટે આ ખાસ તિથિઓ છે જેમાં વ્રત-ઉપવાસ, દાનપુણ્ય, કન્યા પૂજનથી દેવીની કૃપા પ્રાપ્ત કરી શકે છે.

ગ્રંથોમાં જણાવ્યું છે કે ચૈત્ર નવરાત્રિની અષ્ટમી અને નવમી પર દેવી પૂજાની સાથે જ શ્રદ્ધાનુસાર વ્રત કે ઉપવાસ કરવામાં આવે તો બધા નવ દિવસ વ્રત-ઉપવાસ કરવા સમાન પુણ્ય ફળ મળી જાય છે.

પુરીના જ્યોતિષાચાર્ય અને ધર્મ ગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે નવરાત્રિમાં દરેક દિવસ વ્રત-ઉપવાસ ન રાખી શકો તો અષ્ટમી અને નવમી પર જ વ્રત કરવાથી સંપૂર્ણ શક્તિપર્વનું ફળ પ્રાપ્ત થઈ જાય છે.

આ 2 તિથિઓ પર કરવામાં આવેલ વ્રત-ઉપવાસથી તન-મનની શુદ્ધિ તો થાય જ છે સાથે જ દેવીની કૃપાથી મનોકામના પૂરી થઈ જાય છે. ચૈત્ર નવરાત્રિની અષ્ટમી અને નવમી પર દેવી પૂજા અને વ્રત-ઉપાવાસથી રોગ, શોક અને દોષ સમાપ્ત થઈ જાય છે. આ 2 દિવસ શક્તિ આરાધના કરવાથી દુશ્મનો પર જીત પ્રાપ્ત કરી શકાય છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow