દિલ્હી વટહુકમ બિલ પર આજે લોકસભામાં ચર્ચા થવાની શક્યતા

દિલ્હી વટહુકમ બિલ પર આજે લોકસભામાં ચર્ચા થવાની શક્યતા

સંસદના ચોમાસુ સત્રનો આજે (3 ઓગસ્ટ) 11મો દિવસ છે. દિલ્હી ઓર્ડિનન્સ બિલ પર લોકસભામાં ચર્ચા થઈ શકે છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પણ રજૂ કરવામાં આવશે.

વિપક્ષ ગઠબંધન I.N.D.I.A ​​​​​​ના સાંસદો સવારે 10 વાગ્યે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં મળશે અને ગૃહમાં વ્યૂહરચના પર ચર્ચા કરશે.

મણિપુર મુદ્દે ચર્ચાની માગણી સાથે વિપક્ષ છેલ્લા 10 દિવસથી ગૃહમાં હોબાળો મચાવી રહ્યો છે. બુધવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિપક્ષના વલણથી નારાજ થયા હતા.

તેમણે ગૃહમાં આવવા અને તેમની ખુરશી પર બેસવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે આંધ્ર પ્રદેશના રાજમપેટના સાંસદ પીવી મિધુન રેડ્ડીએ લોકસભાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ તરફ રાજ્યસભામાં વિપક્ષી દળોએ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ સાથે અધ્યક્ષ જગદીપ ધનખડને 58 નોટિસ રજૂ કરી હતી, જેને અધ્યક્ષે ફગાવી દીધી હતી.

ધનખડે કહ્યું કે તેઓ પીએમને ગૃહમાં આવવાની સૂચના આપી શકતા નથી. આના પર નારાજ વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મને મળ્યા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow