કેન્દ્ર સરકારે એક મોટી યોજનાને આપી મંજૂરી, 8 લાખ પરિવારોને મફતમાં મળશે આ સુવિધા

કેન્દ્ર સરકારે એક મોટી યોજનાને આપી મંજૂરી, 8 લાખ પરિવારોને મફતમાં મળશે આ સુવિધા

વર્ષના આગમન સાથે જ કેન્દ્ર સરકારે જનતાને નવી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હવે તમે બધા મફતમાં ટીવી જોઈ શકો છો. કેન્દ્રીય કેબિનેટે બુધવારે 2,539.61 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક ડેવલપમેન્ટ સ્કીમ સંબંધિત માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ યોજના દ્વારા સરકારે અંતરિયાળ, આદિવાસી અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને આઠ લાખથી વધુ ડીડી ફ્રી સેટ-ટોપ બોક્સનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.  

ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શને આધુનિક બનાવવા 2,539 કરોડની ફાળવણી
પ્રસાર ભારતી – ઓલ ઇન્ડિયા રેડિયો (એઆઇઆર) અને દૂરદર્શન (ડીડી) એમ બે મહત્ત્વપૂર્ણ પ્રસારણ વિભાગોને સુધારવા અને આધુનિક બનાવવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 સુધીમાં આ હેતુ માટે રૂ.2,539.61 કરોડની ફાળવણી કરી છે.માધ્યમ છે.

કોને લાભ મળશે
અંતરિયાળ અને બોર્ડર એરિયામાં રહેતા લોકોને મફતમાં સેટ ટોપ બોક્ષ મળશે એટલે કે તેઓ મફતમાં ટીવી ચેનલો જોઈ શકશે. હાલમાં દૂરદર્શન 28 રિજનલ ચેનલ સહિત 36 ટીવી ચેનલ ચલાવે છે તો ઓલ ઇન્ડિયા રેડિયો 500 થી વધુ પ્રસારણ કેન્દ્રોનું સંચાલન કરે છે. આ યોજનાથી દેશમાં એઆઈઆર એફએમ ટ્રાન્સમિટર્સનો વ્યાપ ભૌગોલિક વિસ્તાર દ્વારા 66 ટકા અને વસતીના હિસાબે 80 ટકા થઈ જશે, જે અનુક્રમે 59 ટકા અને 68 ટકા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow