GSTના સોફ્ટવેરમાં નામ નખાતા જ હવે બોગસ પેઢી પકડાઈ જશે

GSTના સોફ્ટવેરમાં નામ નખાતા જ હવે બોગસ પેઢી પકડાઈ જશે

સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)એ 245 પાંનાની એક માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં ખાસ પ્રકારના 15 ફોર્મેટ આપવામાં આવ્યા છે. આ ફોર્મેટમાં કરદાતા અને પેઢીના ડેટા ભરતા જ પેઢીઓ બોગસ છે કે નહીં તેની જાણકારી અધિકારીઓને મળી જાય છે. આ ફોર્મેટમાં સૌથી મહત્વનું પેઢીનું નામ છે. જેમાં નામ અને તેણે લીધેલી આઇટીસી ચેક થતાની સાથે જ તે પેઢી પોઝિટિવ અથવા નેગેટિવ લિસ્ટમાં જતું રહે છે.

ગુનો કરતા વ્યક્તિ કોઇને કોઇ ભૂલ જરૂર કરતી હોય છે. જેના આધારે તેના કૌભાંડ બહાર આવતા હોય છે. જીએસટી લાગું થયું ત્યારથી અત્યાર સુધીમાં મળી આવેલા કૌભાંડીઓના ડેટા અને તેમના દ્વારા કરવામાં આવેલી મોડસ ઓપરેન્ડીની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

આ તમામ કેસમાં કેટલાક તથ્યોમાં સામ્યતા જણાઇ આવી હતી. જેના આધારે અધિકારીઓએ 15 જેટલા ફોર્મેટ તૈયાર કર્યા હતા. આ ફોર્મેટ તપાસ અધિકારીઓ માટે ખૂબ મહત્વની બની ગઇ છે. જીએસટીના સૂત્રોએ જણાવ્યું કે, જ્યારે પણ કોઇ બોગસ પેઢી બનાવે છે ત્યારે તે સામાન્ય નામ કરતા અલગ નામ રાખે છે. જેમાં ટ્રેડર્સ, સેલ, એન્ટરપ્રાઇઝ, ઇમ્પેક્સ, એક્ઝિમ, ટ્રેડ જેવા નામ રાખી પોતાની ઓળખ છુપાવે છે.

પેઢીના નામ-આઇટીસી પર ખાસ તપાસ પાંચ વર્ષના અનુભવના આધારે 15 ફોર્મેટમાં જે તારણો તૈયાર કરાયા છે તેમાં મહત્વનું પેઢીનું નામ અને કરદાતાએ લીધેલી આઇટીસી જોવાય છે. આવી પેઢીઓના નામ ડેટામાં નાખતા જ તેને પકડી પાડવામાં આવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow