શિયાળામાં સૌથી બેસ્ટ હનીમૂનના ડેસ્ટિનેશન્સ, પાર્ટનર સાથે આ જગ્યાઓ પર જશો તો યાદગાર બની જશે પળો

શિયાળામાં સૌથી બેસ્ટ હનીમૂનના ડેસ્ટિનેશન્સ, પાર્ટનર સાથે આ જગ્યાઓ પર જશો તો યાદગાર બની જશે પળો

આ સ્થળો હનીમુન માટે છે ખૂબ બેસ્ટ

ઘણા એવા દંપત્તિઓ છે, જે લગ્ન પહેલા હનીમુન ડેસ્ટિનેશન્સ અંગે સંશોધન શરૂ કરી દે છે. પરંતુ ઘણા લોકો એવા છે, જે વધારે મૂંઝવણમાં રહે છે કે તેમને ક્યા જવાનુ છે. અમે અહીં તમને ભારતની અમુક એવી જગ્યા વિશે  જણાવવા જઇ રહ્યાં છે, જે હનીમુન માટે પરફેક્ટ હોવાની સાથે ખૂબ રોમેન્ટીક પણ છે.

ડલહોજી- જો તમારા લગ્ન શિયાળામાં થયા છે તો ડલહોજી એક પરફેક્ટ હનીમુન ડેસ્ટિનેશન છે. અહીં શિયાળામાં ઘણી વધારે બરફવર્ષા થાય છે. અહીં હાલ લાંબા-લાંબા પાઈનના ઝાડમાં જ્યારે બરફ પડે છે તો આ ખૂબ સુંદર દેખાય છે. શિયાળાના સમયમાં અહીં સ્નોફોલ પણ થાય છે. જો તમે નવેમ્બરથી લઇને ફેબ્રુઆરી મહિના દરમ્યાન અહીં ફરવા જાવ છો તો તમને ખૂબ મજા આવશે.‌

ગંગટોક- ગંગટોક ભારતના લોકપ્રિય હનીમુન ડેસ્ટિનેશન્સમાંથી એક છે. અહીં સન રાઈઝ ખૂબ સુંદર હોય છે. નાથુ લા પાસ, ત્સોંગમો લેક અહીં ફેમસ જગ્યા છે. જો શિયાળામાં લગ્ન થયા છે તો તમે હનીમુન માટે અહીં જઇ શકો છો. ઓક્ટોબરથી લઇને ડિસેમ્બર સુધીનો મહિનો અહીં જવા માટે પરફેક્ટ હોય છે.‌

કુર્ગ- અહીં તમને ઘણા બધા વૉટરફૉલ અને કૉફીના હર્યાભર્યા બગીચા જોવા મળશે. જો તમને વધુ ઠંડુ સ્થળ પસંદ નથી તો કુર્ગ તમારા માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે. કુર્ગને ભારતનુ સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીંના ઉંચા પહાડ અને હર્યાભર્યા બગીચા તમારું દિલ જીતી લેશે.‌

ઊટી- ઊટી પણ ભારતના ટોપ હનીમુન ડેસ્ટિનેશનમાંથી એક છે. ઊટીમાં જોવા માટે ઘણી સુંદર જગ્યાઓ પણ છે. અહીનુ હવામાન ઘણુ સારુ રહે છે. ઓક્ટોબરથી લઇને ફેબ્રુઆરી સુધીનો મહિનો અહી જવા માટે પરફેક્ટ માનવામાં આવે છે. અહીં ઘણા લેક, વોટરફોલ અને ડેમ છે, જ્યાં તમે જઇ શકો છો.‌

દમણ અને દીવ- દમણ અને દીવ ગુજરાતમાં સ્થિત એક નાનુ આઈલેન્ડ છે. તો જો તમને શિયાળો વધારે પસંદ નથી અને તમે એક બીચ લવર છો તો અહીં હનીમુન માટે જઇ શકો છો. નવેમ્બરથી લઇને ફેબ્રુઆરી સુધીનો મહિનો અહીં ફરવા માટે પરફેક્ટ માનવામાં આવે છે. આ સાથે અહીં ફરવા માટે બીચ, કેવ્સ, મહાદેવ મંદિર અને જાલંઘર બીચ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow