જેતપુરના સુંદરવન પાર્ક પાસે ચાર રસ્તે દીવાલની આડશને હટાવાઇ

જેતપુરના સુંદરવન પાર્ક પાસે ચાર રસ્તે દીવાલની આડશને હટાવાઇ

જેતપુરના સુંદરવન પાર્ક વિસ્તારના લોકોને મુખ્ય રોડ પર જવા આડે લગત રોડ પર અન્ય પાર્કના બિલ્ડરે દીવાલ બનાવી લીધી હોય તે દૂર કરવાની અને રસ્તો ખુલ્લો કરવાની સ્થાનિકોની નગરપાલિકાને છેલ્લા ત્રણથી ચારથી રજૂઆત બાદ આજે નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે ચાર રસ્તા આડેની દીવાલ રૂપી આડશ બુલડોઝરથી ધરાશયી કરી રસ્તાઓ ખુલ્લા કર્યા હતાં.

જેતપુર શહેરના સરધારપુર રોડ પર સુંદરવન અને શિવ પાર્ક બંને સાથે આવેલા વિસ્તારો છે. આ વિસ્તારથી મુખ્ય રસ્તા પર જવા માટે ચાર રસ્તાઓ છે પરંતુ ચારેય રસ્તા મયુર પાર્ક સાથે જોડાયેલા હોય અને મયુર પાર્કના બિલ્ડરે લગત રોડ આડે દીવાલ બનાવી રોડ બંધ કરી દીધો હતો.

જેથી આ સુંદરવન અને શિવ પાર્કના રહેવાસીઓને અડધો કિમી અવાવરુ રસ્તા પર ફરીને મુખ્ય રસ્તા પર જવું પડતું. આ દિવાલ દૂર કરવા માટે સ્થાનિકોએ નગરપાલિકામાં છેલ્લા ચારેક વર્ષથી લેખીક મૌખિક રજૂઆત કરતાં હતાં.

પરંતુ સત્તાધીશો ફક્ત ઠાલા વચનો જ આપતા જેથી સ્થાનિક મહિલાઓ અઠવાડિયા પૂર્વે નગરપાલિકાને આ દબાણ દૂર કરી રસ્તાઓ ખુલ્લા મુકવા ઉગ્ર રજૂઆત કરીને જો નગરપાલિકા દૂર નહિ કરે તો અમો જાતે દૂર કરી નાંખીશું અને આ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતી બગડશે તેની જવાબદાર નગરપાલિકા રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow