Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🇮🇳 India

4 જવાનોની હત્યા કરનાર 2 શકમંદોનો અતોપતો નથી

Gujaratnow1 min read
4 જવાનોની હત્યા કરનાર 2 શકમંદોનો અતોપતો નથી

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં સેનાના ચાર જવાનોની ગોળી મારીને હત્યા કરનારા બે શંકાસ્પદ હુમલાખોરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પોલીસ તેમને શોધવા માટે સીસીટીવી કેમેરા સ્કેન કરી રહી છે. બીજી તરફ ઘટનાના 24 કલાક બાદ પણ સૈન્ય વિસ્તારમાં રેડ એલર્ટ જારી છે. સૈન્ય વિસ્તારની સ્કૂલો આજે પણ બંધ રાખવામાં આવી છે. લોકોને બાળકોને શાળાએ ન મોકલવા સૂચના આપવામાં આવી છે.

આ તરફ મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં ચાર જવાનોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમની છાતીના ભાગે ગોળીઓ વાગી હતી. આજે જવાનોના મૃતદેહોને તેમના ગામ મોકલવામાં આવશે. જો કે સૈન્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ મોડી રાત સુધી ચાલુ રહી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શૂટર્સ લશ્કરી યુનિફોર્મમાં ન હતા. તેમણે સાદા કપડા પહેર્યા હતા. 80 મીડિયમ રેજિમેન્ટના આ જવાનો ઓફિસર્સ મેસમાં ગાર્ડ ડ્યૂટી પર તહેનાત હતા.

સેનાએ જણાવ્યું કે ગોળીબાર સવારે 4.35 વાગે થયો હતો. 4 જવાનોના મોત સિવાય કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. પોલીસ અને સેનાની ટીમ સંયુક્ત રીતે તેની તપાસ કરી રહી છે.

Gujaratnow1 min read

Related News