4 જવાનોની હત્યા કરનાર 2 શકમંદોનો અતોપતો નથી

4 જવાનોની હત્યા કરનાર 2 શકમંદોનો અતોપતો નથી

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં સેનાના ચાર જવાનોની ગોળી મારીને હત્યા કરનારા બે શંકાસ્પદ હુમલાખોરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પોલીસ તેમને શોધવા માટે સીસીટીવી કેમેરા સ્કેન કરી રહી છે. બીજી તરફ ઘટનાના 24 કલાક બાદ પણ સૈન્ય વિસ્તારમાં રેડ એલર્ટ જારી છે. સૈન્ય વિસ્તારની સ્કૂલો આજે પણ બંધ રાખવામાં આવી છે. લોકોને બાળકોને શાળાએ ન મોકલવા સૂચના આપવામાં આવી છે.

આ તરફ મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં ચાર જવાનોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમની છાતીના ભાગે ગોળીઓ વાગી હતી. આજે જવાનોના મૃતદેહોને તેમના ગામ મોકલવામાં આવશે. જો કે સૈન્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ મોડી રાત સુધી ચાલુ રહી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શૂટર્સ લશ્કરી યુનિફોર્મમાં ન હતા. તેમણે સાદા કપડા પહેર્યા હતા. 80 મીડિયમ રેજિમેન્ટના આ જવાનો ઓફિસર્સ મેસમાં ગાર્ડ ડ્યૂટી પર તહેનાત હતા.

સેનાએ જણાવ્યું કે ગોળીબાર સવારે 4.35 વાગે થયો હતો. 4 જવાનોના મોત સિવાય કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. પોલીસ અને સેનાની ટીમ સંયુક્ત રીતે તેની તપાસ કરી રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow