તેલંગાણા : સરદારના વારસાને લઇને જંગ

તેલંગાણા : સરદારના વારસાને લઇને જંગ

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના રાજકીય વારસાને લઇને તેલંગાણામાં ભાજપ અને કોંગ્રેસ રવિવારે આમનેસામને રહેશે. આના માટે બંને તરફથી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં પ્રથમ કાર્યસમિતિ (સીડબલ્યુસી)ની બેઠક હૈદરાબાદમાં થઇ રહી છે. બીજી બાજુ ભાજપ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં 17મી સપ્ટેમ્બરે તેલંગાણા દિવસના પ્રસંગે નિઝામના સંકજામાંથી રાજ્યને સ્વતંત્ર કરવાના અવસરની ઉજવણી કરશે. આને લઇને રેલી યોજાશે. ગૃહમંત્રી અમિત શાહ તેને સંબોધન કરશે.

હકીકતમાં કોંગ્રેસ દાયકા બાદ સરદાર પટેલને પોતાના વારસાના હિસ્સા તરીકે રજૂ કરવાની તૈયારીમાં છે. આ ક્રમમાં સીડબલ્યૂસીની બેઠકની સાથે કોંગ્રેસ હૈદરાબાદમાં રેલી યોજશે. આ રેલીને સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંબોધિત કરશે. સૂત્રોએ કહ્યું છે કે આ રેલીમાં કોંગ્રેસના નેતા દેશના પ્રથમ ગૃહમંત્રી અને નિઝામને પછડાટ આપીને અખંડ ભારતનું સપનું પૂર્ણ કરનાર સરદાર પટેલના રાજકીય વારસાને ભાજપના હાથમાંથી આંચકી લેવા માટે પ્રયાસ કરશે. કારણ કે ભાજપ સરદાર પટેલને સતત અપનાવે છે. કોંગ્રેસ તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે રણશિંગુ પણ આ દરમિયાન ફૂંકશે. સૂત્રોએ કહ્યું છે કે કોંગ્રેસ ત્યાં પોતાની 5 ગેરંટીની જાહેરાત પણ કરવા જઇ રહી છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow