ટીમ ઇન્ડિયાની વેસ્ટઈન્ડીઝ સામે સતત આઠમી જીત

ટીમ ઇન્ડિયાની વેસ્ટઈન્ડીઝ સામે સતત આઠમી જીત

વુમન્સ T20 વર્લ્ડ કપમાં ભારતે વેસ્ટઈન્ડીઝને 6 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સેમી-ફાઈનલની નજીક પહોંચી ગઈ છે. વિન્ડીઝ સામે ટીમ ઈન્ડિયાની આ સતત 8મી T20 જીત છે. તેમની છેલ્લી હાર 2016માં વિજયવાડામાં થઈ હતી.

કેપટાઉન ગ્રાઉન્ડ પર ટૉસ જીતીને બેટિંગ કરતાં વેસ્ટઈન્ડીઝે 20 ઓવરમાં 6 વિકેટે 118 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ જીત માટે જરૂરી 119 રન 19મી ઓવરમાં 4 વિકેટે બનાવી લીધા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર અને રિચા ઘોષ વચ્ચે 72 રનની પાર્ટનરશિપે આ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કૌરે 33 અને રિચા ઘોષે 44 રન બનાવ્યા હતા. વિન્ડીઝ ટીમ તરફથી કરિશ્મા રામહાર્કે બે વિકેટ ઝડપી હતી, જ્યારે હેલી મેથ્યુઝને એક વિકેટ મળી હતી.

વેસ્ટઈન્ડીઝ ઇનિંગ
કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર ટૉસ જીતીને પહેલી બેટિંગ કરતાં વેસ્ટઈન્ડીઝે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 118 રન બનાવ્યા હતા. સ્ટેફની ટેલરે 42 અને શેમેન કેમ્પબેલે 30 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી સ્પિનર દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે T20 ઈન્ટરનેશનલમાં 100 વિકેટ પણ લીધી છે. દીપ્તિએ એફી ફ્લેચર (0 રન), સ્ટેફની ટેલર (42 રન) અને શેમેન કેમ્પબેલ (30 રન)ની વિકેટ લીધી હતી. દીપ્તિ ઉપરાંત રેણુકા અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow