વર્લ્ડ કપ પહેલા છેલ્લી વન-ડેમાં ટીમ ઈન્ડિયા હારી

વર્લ્ડ કપ પહેલા છેલ્લી વન-ડેમાં ટીમ ઈન્ડિયા હારી

વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વન-ડે શ્રેણીની છેલ્લી મેચમાં ટીમને 66 રને હારનો સામનો કરવો પડ્યો હતો, જોકે ભારતે શ્રેણી 2-1થી જીતી હતી.

બુધવારે રાજકોટમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 50 ઓવરમાં 7 વિકેટે 352 રન બનાવ્યા હતા. આ મેદાન પરનો સૌથી મોટો સ્કોર છે. જવાબમાં ભારતીય ટીમ 49.4 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટૉસ જીતીને બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમનો ટોપ ઓર્ડર સફળ રહ્યો હતો. ટીમના ટોપ-4 બેટર્સે ફિફ્ટી ફટકારી હતી. જેમાં ઓપનર ડેવિડ વોર્નરે 56, મિચેલ માર્શે 96, સ્ટીવ સ્મિથે 72 અને માર્નસ લાબુશેને 72 રન બનાવ્યા હતા.

353 રનના ટાર્ગેટને ચેઝ પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાએ સતત વિકેટો ગુમાવી હતી. ટોચના ક્રમમાં બે 70+ ભાગીદારી હતી, પરંતુ મિડલ ઓર્ડરમાં કોઈ ભાગીદારી થઈ નથી. જે હારનું કારણ બની હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow