T20 મહિલા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

T20 મહિલા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

આવતા વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનાર ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. હરમનપ્રીત કૌર ટીમની કેપ્ટન છે અને ઓપનર સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન છે. ઈજાગ્રસ્ત પૂજા વસ્ત્રાકર ટીમમાં પરત ફરી છે. સાથે જ સ્નેહ રાણા સહિત 3 ખેલાડીઓને રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યા છે.

પાકિસ્તાન સામે પહેલી મેચ
8મો T20 વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરી 2023થી સાઉથ આફ્રિકામાં શરૂ થશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના ગ્રુપ-2માં પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની સાથે છે. ભારતની પહેલી મેચ 12 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં પાકિસ્તાન સામે થશે.

ભારતની ગ્રુપ સ્ટેજની બાકીની મેચ 15 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે, 18 ફેબ્રુઆરીએ પોર્ટ એલિઝાબેથમાં ઇંગ્લેન્ડ સામે અને 20 ફેબ્રુઆરીએ પોર્ટ એલિઝાબેથમાં આયર્લેન્ડ સામે રમાશે.

ગ્રુપ-1 અને ગ્રુપ-2ની ટોચની 2-2 ટીમ વચ્ચે 23 અને 24 ફેબ્રુઆરીના રોજ સેમિફાઈનલ રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 26 ફેબ્રુઆરીએ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકે રમાશે. 2009માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયાએ 5 વખત જીતી છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ પણ એક-એક વખત ચેમ્પિયન બની છે. ભારત ગત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું. પરંતુ, તેમને ઓસ્ટ્રેલિયાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સિનિયર ટીમમાં અંડર-19ના 2 ખેલાડી પણ છે
T20 વર્લ્ડ કપ પહેલા ICC અંડર-19 વર્લ્ડ કપ પણ 14થી 29 જાન્યુઆરી દરમિયાન સાઉથ આફ્રિકામાં યોજાશે. 16 ટીમની ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન શેફાલી વર્મા છે. વિકેટકીપર રિચા ઘોષ પણ આ ટીમનો એક ભાગ છે. બન્નેની T20 વર્લ્ડ કપમાં ભારતની સિનિયર વુમન્સ ટીમ માટે પસંદગી કરવામાં આવી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow