જલદી બૂસ્ટર ડોઝ લઈ લેજો, અફવાથી ગભરાતા નથી, કોરોના પર સરકારે ફરી લોકોને આપ્યો નિર્દેશ

જલદી બૂસ્ટર ડોઝ લઈ લેજો, અફવાથી ગભરાતા નથી, કોરોના પર સરકારે ફરી લોકોને આપ્યો નિર્દેશ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે IMAના પ્રતિનિધિઓ અને દેશના 100 ડોકટરો સાથે કોરોના મુદ્દે બેઠક યોજી હતી. બેઠકમાં માંડવિયાએ ડો્કટરોને ખોટી માહિતી ન ફેલાવીને લોકોની સાચી માહિતી આપવાનું જણાવ્યું હતું. તેમણે ડોક્ટરોનવે કહ્યું કે તમારે લોકોને કહેવું જોઈએ કે સમયાંતરે જારી કરવામાં આવેલી સરકારી એડવાઈઝરીને અનુસરો. સોશિયલ મીડિયા અને અનધિકૃત ચેનલો દ્વારા ફેલાતી અફવાઓથી ગભરાશો નહીં. જો તમને તાવ, ગળામાં દુખાવો અને ખાંસી જેવા કોઈ લક્ષણો હોય તો તમારા ડોક્ટરની સલાહ લો.

જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવું
બેઠક બાદ  IMAએ લોકોને જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવાની અપીલ કરી છે. તેમજ લોકોને વહેલી તક પ્રીકોશન ડોઝ લેવાની તથા અફવા પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરાઈ છે.

આવતીકાલે દેશભરની હોસ્પિટલોમાં મોકડ્રીલ
માંડવિયાએ કહ્યું કે, આવતીકાલે દેશભરની તમામ કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવશે. તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી પણ પોતાના સ્તર પર તેમાં ભાગ લેશે. મોકડ્રીલ દ્વારા, કોરોના સામેની આ લડતમાં દેશની હોસ્પિટલો કેવી રીતે તૈયાર થાય છે તેનું મૂલ્યાંકન શક્ય બનશે. તમામ રાજ્યોને મોકડ્રીલ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં રાજ્યોએ એ જોવાનું રહેશે કે તેઓ કોરોનાને પહોંચી વળવા માટે કેવી રીતે તૈયાર છે. રાજ્યોની હોસ્પિટલોમાં કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, શું હોસ્પિટલોમાં પીપીપીઇ કીટ છે? શું N95 મસ્ક છે? શું વેન્ટિલેટર છે? બેડની સંખ્યા કેટલી છે? અને મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા શું છે?

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow