ધોરાજીમાં ભાદર નદીમાંથી યુવકની શંકાસ્પદ લાશ મળી,PM રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ

ધોરાજીમાં ભાદર નદીમાંથી યુવકની શંકાસ્પદ લાશ મળી,PM રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ

ધોરાજીના વેગડી ગામે ભાદર નદીમાંથી યુવકનો મૃતદેહ મળતાં તેની લાશને ફોરેન્સિક PM માટે ખસેડવામા આવી હતી જેમાં ઘટસ્ફોટ થયો છે કે યુવકને તીક્ષ્ણ હથિયારના બેરહેમીથી ઘા મારવામાં આવ્યા છે અને હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેવાઇ છે. જામકંડોરણા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મૃતદેહ પડ્યો હોવાની જાણ થઈ
આજથી બે દિવસ પૂર્વે જામકંડોરણા ધોરાજી રોડ પર ભાદર નદીના પુલ પાસે ભાદર નદીમાં પાણીમાં પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં PSI વી.એમ.ડોડીયા અને હેડકોન્સ્ટેબલ આર.જી. મેટાડિયા સહિતનો પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને લાશનો કબજો લઇ ફોરેન્સિક PM માટે રાજકોટ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લાશને ફોરેન્સિક PM માટે ખસેડવામા આવી હતી

ગળાના ભાગે ઇજા કરાઈ
જે રિપોર્ટ તેમજ પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે યુવકને ગળાના ભાગે હથિયારથી ઇજા કરવામાં આવી હોઇ મોત થયું છે. PSI ડોડીયાએ જણાવ્યું હતું મૃતકની ઉમર 35 થી 40 વર્ષની છે. તેણે ભુખરા કલરનો ચેકસ વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ હતું. તેમજ ગળાના ભાગે ઊંડો કાપો પડી ગયો હતો અને જમણા કાનના ભાગે,માથાના ભાગે પણ ઇજા થઈ હતી તેમજ પેટના જમણી બાજુના પડખાના ભાગે એક હોલ પડી ગયાનું જોવામાં આવ્યુ હતું.

મૃતક યુવકની ઓળખ અધિકારીઓ માટે ચેલેન્જ
તપાસનીશ અધિકારીઓ માટે હવે આ મૃતક કોણ છે? તેની હત્યા શા માટે અને કોણે નીપજાવી એ સહિતની કડી મેળવવી પોલીસ માટે ચેલેન્જ સાબીત થઇ રહી છે. જો કે આ કિસ્સામાં યુવાનને અહીં સુધી લાવીને નદીમાં કોઇ નાખી ગયું તો કોઇએ આ ઘટના નજરે નિહાળી છે કે કેમ તે સાક્ષી મળી જાય તો નવી દિશા સાંપડી શકે. નદીમાંથી યુવાનનો મૃતદેહ મળવાની ઘટનાથી નાના એવા ગામમાં ચકચાર વ્યાપી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow