આ મહિને સૂર્ય પૂજા અને તલ ખાવાથી શરીરની તાકત વધે છે

આ મહિને સૂર્ય પૂજા અને તલ ખાવાથી શરીરની તાકત વધે છે

હાલ પોષ મહિનાનો વદ પક્ષ ચાલી રહ્યો છે. તે પછી 22 જાન્યુઆરીએ મહા મહિનો શરૂ થઈ જશે. આ મહિનામાં સ્નાન અને દાન કરવું શુભ માનવામાં આવે છે. પુરાણો પ્રમાણે આ મહિનો મંગળ કાર્યો માટે પણ શ્રેષ્ઠ જણાવવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ખાસ પુણ્ય મળે છે. આ મહિને 20 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. મહા મહિનાને હિંદુ સંસ્કૃતિમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.  

સ્વાસ્થ્ય માટે ખાસ
મહા મહિનામાં ધૂપ લેવાથી અનેક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ધીમે-ધીમે દૂર થવા લાગે છે. આ મહિનામાં સૂર્યદેવની પૂજાનું ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ દરમિયાન સૂર્યથી આવતા કિરણોને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરને વિટામિન ડી મળે છે. બાળકોને તડકામાં બેસાડવાથી નિમોનિયા અને શરદી સાથે જોડાયેલી બીમારીઓથી બચાવી શકાય છે. ત્યાં જ, વડીલોએ પણ થોડીવાર માટે તડકામાં બેસવું જોઈએ. જેથી તેમને હાકડા સાથે જોડાયેલી પરેશાનીઓથી આરામ મળે છે.

મહા મહિનો અને તલ
આ મહિનામાં સૌથી વધારે તલનો ઉપયોગ કરવામાં આવે છે. મહા મહિનામાં સંકટ ચોથ, જયા એકાદશી, ભીમ બારસ, માઘી પૂનમ, તલ ચોથ, વિજયા એકાદશી અને અમાસ. આ વ્રત-પર્વ તલ વિના અધૂરા હોય છે. તેમાં તલ ખાવા અને દાન કરવાનું વિધાન છે. આ તિથિ-તહેવાર સાથે જ આખો મહિનો પાણીમાં તલ નાખીને નાહવાનું પણ વિધાન છે. આ મહિને તલ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તલમાં રહેલાં પૌષ્ટિક તત્વ આખું વર્ષ શરીરને તંદુરસ્ત રાખે છે.

મહા મહિનામાં સ્નાન-દાન
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે મહા મહિનામાં સ્નાન, દાન અને પૂજા કરવી જોઈએ. તેનાથી બધા દોષમાંથી મુક્તિ મળે છે. નિર્ણયસિંધુ ગ્રંથ પ્રમાણે દરેક વ્યક્તિએ મહા મહિના દરમિયાન એકવાર પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. મત્સ્ય પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં મહા મહિના દરમિયાન દાન અને તપ કરવાની વાત ઉલ્લેખવામાં આવી છે. સાથે જ મહા મહિનામાં પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાનું પણ વિધાન છે.

પિતૃઓ માટે ખાસ મહિનો
મહા મહિનામાં કલ્પવાસ કરવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે મહા મહિનામાં જ મહાભારતના યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયેલાં પોતાના સગા-સંબંધીઓને સદગતિ આપવા માટે યુધિષ્ઠિરે કલ્પવાસ કર્યો હતો. જેમ કે, મહા મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ અન્વષ્ટકા શ્રાદ્ધ હોય છે. તેવી જ રીતે મહા મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ ભીષ્મ બારસ કરવામાં આવે છે. જેમણે પોતાના પૂર્વજોને તર્પણ ન આપ્યું હોય, તેઓ આ દિવસે તર્પણ આપીને લાભ પ્રાપ્ત કરી શકે છે. આ દરમિયાન અનુશાસિત જીવનશૈલી અપનાવવાથી અનેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow