સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની પુનર્વિચાર અરજી ફગાવી: જાણો દોષિતોને મળેલ માફી અંગે શું છે કેસ

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની પુનર્વિચાર અરજી ફગાવી: જાણો દોષિતોને મળેલ માફી અંગે શું છે કેસ

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં બિલકિસ બાનોએ મે મહિનામાં આપેલા સુપ્રીમ કોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં ગુજરાત સરકારને 1992ના જેલના નિયમો હેઠળ 11 દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

કેમ કરાઈ હતી અરજી?
મે 2022માં ન્યાયાધીશ અજય રસ્તોગીએ એક દોષિતની અરજી પર આદેશ આપ્યો હતો કે ગુજરાત સરકાર 1992ની મુક્તિ નીતિ હેઠળ બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા પર વિચાર કરી શકે છે. જો કે, બિલકિસ બાનોએ પોતાની અરજીમાં કહ્યું છે કે આ કેસનું ટ્રાયલ મહારાષ્ટ્રમાં ચાલ્યું છે અને ત્યાંની રીલીઝ પોલિસી અનુસાર આવા જઘન્ય ગુનાઓમાં દોષિતોને 28 વર્ષ પહેલા છોડી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું
આપને જણાવી દઈએ કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જે રાજ્યમાં અપરાધ થશે, તે રાજ્યમાં દોષિતની અરજી પર વિચારણા કરી શકાય છે. હવે જ્યારે બિલ્કિસ બાનો કેસ ગુજરાતનો હતો, તેથી આ કેસના દોષિતોને તેમની સજા ઘટાડાવી હતી, તો ગુજરાત સરકારને અપીલ કરવી હતી. સુપ્રીમ કોર્ટના તે આદેશ બાદ જ રીમિશન પોલિસી (માફીની નીતિ)ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે બિલકિસ બાનો કેસમાં તમામ દોષતોને મુક્ત કરવાનો નિર્ણય સંભાવ્યો હતો.

ગુજરાત સરકારે 11 દોષિતોને આપી હતી માફી
જણાવી દઈએ કે, આ 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને માફી આપીને મુક્ત કરી દીધા હતા. કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ અને સિવિલ સોસાયટીના સંગઠનોએ આ બાબતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને ગુજરાત સરકારની આકરી નિંદા કરી હતી.

રીમિશન પોલિસી (માફી નીતિ) એટલે શું?
રીમિશન પોલિસીનો સરળ ભાષામાં અર્થ માત્ર એટલો જ થાય છે કે કોઈ દોષિતની સજાના સમયગાળાને ઘટાડવામાં આવે. માત્ર આ વાતનું ધ્યાન રાખવું પડે છે કે સજાનું સ્વરૂપ બદલવાનું નથી, માત્ર સમયગાળો ઘટાડી શકાય છે.  બીજી તરફ, જો દોષિત માફી નીતિના નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરે, તો તે તેને આપવામાં આવતી છૂટથી વંચિત રહી જાય છે અને પછી તેણે સંપૂર્ણ સજા ભોગવવી પડે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow