પહેલી જાન્યુઆરીથી ઉપયોગમાં નહીં લઈ શકાય આવા ઈલેક્ટ્રિક વોટર હીટર, સરકારે લીધો મોટો નિર્ણય

પહેલી જાન્યુઆરીથી ઉપયોગમાં નહીં લઈ શકાય આવા ઈલેક્ટ્રિક વોટર હીટર, સરકારે લીધો મોટો નિર્ણય

ભારતમાં શિયાળાની ઋતુ આવી ગઈ છે. શિયાળામાં ઇલેક્ટ્રિક વોટર હીટરની ખૂબ માંગ રહે છે. તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જો તમે પણ ગીઝર ખરીદવા અથવા ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેના વિશે જરૂર જાણી લો.

ઉર્જા મંત્રાલયે કહ્યું છે કે 1 જાન્યુઆરી, 2023થી 1 સ્ટારવાળા ઇલેક્ટ્રિક વોટર હીટર કાયદેસર નહીં રહે. આ નવો નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે. એટલે કે 1 જાન્યુઆરીથી એક સ્ટારવાળા ઇલેક્ટ્રિક વોટર હીટર વેચવામાં આવશે નહીં.

ઉર્જા મંત્રાલયે જાહેર કર્યું નવુ નોટિફિકેશન
મંત્રાલય દ્વારા નોટિફિકેશનમાં ટેબલ જારી કરવામાં આવ્યું છે. આ ટેબલમાં એક સ્ટાર રેટિંગ વાળા હિટરના વેલિડેશન વિશે જણાવવામાં આવ્યું છે. 1 સ્ટારવાળા ઇલેક્ટ્રિક વોટર હીટર 1 જાન્યુઆરી 2023 થી 31 ડિસેમ્બર 2025 સુધી માન્ય રહેશે નહીં.

આ હિટરમાં થાય છે વધારે વિજળીની ખપત
નોટિફિકેશન મુજબ 6 લિટરથી 200 લિટરની ક્ષમતાના 1 સ્ટાર ઇલેક્ટ્રિક વોટર હીટર આવતા વર્ષથી કાયદેસર રહેશે નહીં. તમને જણાવી દઈએ કે, 1 સ્ટાર રેટિંગવાળા ડિવાઈસ વધુ પાવર વાપરે છે અને બજેટમાં પણ ગડબડ કરે છે.

મંત્રાલયે કહ્યું કે સ્ટોરેજ ટાઈપના ઇલેક્ટ્રિક વોટર હીટરના એનર્જી પરફોર્મન્સ લેવલને અપગ્રેડ કરવાની જરૂર છે. જેથી ઓછી ઉર્જાની જરૂર પડે. જો તમે પણ 1 સ્ટારવાળા વોટર હીટરનો ઉપયોગ કરો છો, તો વધુ સ્ટારવાળા હીટરનો ઉપયોગ કરો, કારણ કે તે ઓછા પાવર વપરાશમાં ઝડપથી પાણી ગરમ કરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow