દરરોજ સવારે પીવાનું શરૂ કરી દો આ હેલ્ધી ડ્રિંક્સ, જૂનામાં જૂની કબજિયાતનું નામો નિશાન નહીં રહે

દરરોજ સવારે પીવાનું શરૂ કરી દો આ હેલ્ધી ડ્રિંક્સ, જૂનામાં જૂની કબજિયાતનું નામો નિશાન નહીં રહે

કબજિયાત લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી એવી સમસ્યા છે જે આજના સમયમાં ખૂબ જ સામાન્ય છે. કબજિયાતની સમસ્યામાં તમને પેટ એક વખતમાં અથવા સરળતાથી સાફ નથી થઈ શકતું જેના કારણે કલાકો સુધી ટોયલેટમાં બેસી રહેવું પડે છે. પેટ સાફ ન થવાના કારણે તમારા સ્વાસ્થ્ય અને મન બંન્ને પર ખરાબ અસર પડે છે જેની અસર તમારા કામ અને પરફોર્મન્સ પર પણ પડે છે.

ત્યાં જ જો તમે લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તેના કારણે તમને મસા પણ થઈ શકે છે. એવામાં આજે અમે તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો આપાવતી ડ્રિંક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પોતાની ડેલી ડાયેટમાં તેને શામેલ કરો છો તો તેનાથી તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે. તો આવો જાણીએ કબજિયાતની સમસ્યા માટે ડ્રિંક્સ...

કબજિયાતની સમસ્યામાં પીવો આ ડ્રિંક્સ


લીંબુનો રસ
લીંબુના રસમાં વિટામિન સી જેવા ઘણા એન્ટી-ઓક્સીડેન્ટ્સ રહેલા હોય છે. તેના માટે લીંબુ પાણી પીવાથી તમને શરીરમાં રહેલા ટોક્સિંસ સરળતાથી નિકળી જાય છે. જેનાથી તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

સફરજનનો જ્યુસ
સફરજનમાં પેક્ટિન નામનું તત્વ રહેલું હોય છે જે તમારા મળને ભારે બનાવે છે જેનાથી તમને મળત્યાગમાં સરળતા રહે છે. એવામાં તમે દરરોજ સફરજનના જ્યુસનું સેવન કરી શકો છો.

દૂધ અને ઘી
દૂધમાં ઘી નાખીને તેનું સેવન કરવું આયુર્વેદમાં ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. ઘી વાળુ દૂધ કબજીયાત માટે રામબાણ ઈલાજનું કામ કરે છે. એવામાં તમે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને રાત્રે સુતા પહેલા તેનું સેવન કરી શકો છો. તેનાથી સવારે તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow