રાજકોટમાં ગેમ રમવાની માતાએ ના કહેતા પુત્રનો આપઘાત

રાજકોટમાં ગેમ રમવાની માતાએ ના કહેતા પુત્રનો આપઘાત

મોબાઇલમાં સતત ગેમ રમતા ગેમ એડિક્ટ, ગેમમાં એટલા તલ્લીન થઇ જતા હોય છે કે તેને આ મુદ્દે સ્વજનો દ્વારા અપાતો ઠપકો પણ માઠો લાગે છે અને ગુસ્સામાં અવિચારી પગલું ભરી લે છે. આવી જ એક ઘટના ટંકારામાં બની હતી. ટંકારામાં ઉગમણા નાકે રહેતો અતુલ ઉર્ફે વિજય બટુકભાઇ ચાવડા (ઉ.વ.26) ગત તા.16ના પોતાના ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ ગયો હતો. અનેક સ્થળે શોધખોળ કરવા છતાં અતુલનો ક્યાંય પત્તો નહીં લાગતાં અતુલના ગુમ થવા અંગે ચાવડા પરિવારે ટંકારા પોલીસમાં જાણ કરતાં ચાવડા પરિવાર અને ટંકારા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન રવિવારે સાંજે ટંકારના નસીતપર ગામ નજીક ડેમી-2 ડેમમાંથી એક યુવકની લાશ મળી આવતાં ટંકારા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં લાશ ટંકારાના લાપતા યુવક અતુલની હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં અતુલે આપઘાત કર્યાનું અને આપઘાત પાછળ મોબાઇલ ગેમ રમવાની કુટેવ કારણભૂત હોવાનું ખુલ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અતુલ બે ભાઇ અને એક બહેનમાં મોટો અને અપરિણીત હતો. તેના પિતા છૂટક મજૂરી કરે છે અને અતુલ પણ સેન્ટ્રીંગની મજૂરીકામ કરતો હતો. અતુલ ઉર્ફે વિજય મોબાઇલમાં સતત ગેમ રમતો હતો. તેને ગેમ રમવાની આદત પડી ગઇ હતી. સાંજે કામ પરથી આવ્યા બાદ મોડી રાત સુધી ગેમ રમતો હોય સવારે મોડો ઉઠતો હતો અને કામે જવામાં પણ મોડું થતું હતું. તા.16ના પણ તે મોડો ઉઠતાં તેની માતા મીનાબેને મોબાઇલ પર ગેમ રમવાના મુદ્દે તેને ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાનું માઠું લાગતાં અતુલ ઘર છોડીને જતો રહ્યો હતો અને તા.18ની સાંજે તેની ડેમમાંથી લાશ મળી હતી. લાશ ફુલાઇ ગઇ હોવાથી તેનું ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવવા લાશને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow