પુનિતનગરમાં પાર્ક ખાનગી બસમાંથી તસ્કરો 300 લિટર ડીઝલ ચોરી ગયા

પુનિતનગરમાં પાર્ક ખાનગી બસમાંથી તસ્કરો 300 લિટર ડીઝલ ચોરી ગયા

રાજકોટ શહેરના પુનિતનગરમાં પાર્ક કરાયલી ખાનગી બસની ટેન્ક ખોલી તસ્કરો રાત્રીના 300 લિટર ડીઝલ ચોરી કરી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. તેમજ લક્ષમણ ટાઉનશિપમાં મધરાત્રીના નિદ્રાધીન મહિલાના ઘરમાં ઘૂસી પાડોશી શખ્સ રૂ.10 હજાર તફડાવી ગયો હતો.મનહર પ્લોટમાં રહેતા અને મનીષ ટ્રાવેલ્સ નામે ટ્રાવેલ્સ ચલાવતા દર્શનભાઇ મનીષભાઇ જયશ્વાલે (ઉ.વ.29) ચોરી અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દર્શનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની એક બસનો ચાલક શિવાનંદ મુથેએ બસમાં 450 લિટર ડીઝલ પુરાવ્યું હતું અને રાત્રે પુનિતનગરની વિશ્વકર્મા સોસાયટી મેઇન રોડ પર રાત્રે બસ પાર્ક કરી હતી, બીજા દિવસે તા.13ના શિવાનંદ બસ પાસે જતાં બસનું ડીઝલ ટેન્કનું ઢાંકણ ખુલ્લું દેખાયું હતું અને બસ ચાલુ કરતાં જ ડીઝલનો કાંટો નીચે આવી ગયો હતો, તપાસ કરતા ટેન્કમાંથી તસ્કરો રૂ.27600ની કિંમતનું 300 લિટર ડીઝલ ચોરી ગયા હતા. આ મામલે ટ્રાવેલ્સ સંચાલકને જાણ કરતાં અંતે દર્શનભાઇએ ફરિયાદ નોંધાવી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow