દેખાવમાં નાની ફટકડી ઔષધિ સમાન છે, અનેક પરેશાનીઓનો છે રામબાણ ઈલાજ

દેખાવમાં નાની ફટકડી ઔષધિ સમાન છે, અનેક પરેશાનીઓનો છે રામબાણ ઈલાજ

ફટકડીનો ઉપયોગ કરવાથી અનેક મુશ્કેલીઓમાંથી મળશે છૂટકારો

ફટકડી એક એવી વસ્તુ છે, જે દરેક ઘરમાં હોય છે. ફટકડીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. આમ તો ફટકડી બે પ્રકારની હોય છે. પહેલી લાલ અને બીજી સફેદ ફટકડી. પરંતુ મોટાભાગના લોકો વ્હાઈટ ફટકડીનો ઉપયોગ કરે છે. કેટલાંક ઘરમાં તેનો ઉપયોગ દાઢી કર્યા બાદ કરવામાં આવે છે. આયુર્વેદ મુજબ ફટકડીનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી છૂટકારો મળી જાય છે. આવો જાણીએ કે ફટકડીના શુ ફાયદા છે.

યુરિન ઈન્ફેક્શન અને દાંતના દુ:ખાવાને કરો દૂર

જો તમને યુરિન ઈન્ફેક્શન થયુ છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. દરરોજ ફટકડીના પાણીથી તમે પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરીને તમે યુરિન ઈન્ફેક્શનને દૂર કરી શકો છો. જો તમને દાંતની સમસ્યા થઇ છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. ફટકડીના એન્ટી-બેક્ટેરિયલ ગુણ દાંતનો દુ:ખાવો અને મોંઢાની દુર્ગધને દૂર કરવામાં મદદ કરે છે.

પરસેવાની દુર્ગધમાંથી અપાવશે રાહત

જો તમારા શરીરમાંથી પરસેવાના કારણે વધારે દુર્ગધ આવે છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. જેના માટે ફટકડીનુ ચૂરણ બનાવી લો અને તેને સ્નાન કરવાના સમયે પાણીમાં નાખીને સ્નાન કરો. આવુ કરવાથી તમારા શરીરમાંથી દુર્ગધ દૂર થશે. આ ઉપરાંત જો તમને ઘણા લાંબા સમયથી દમ અથવા પછી ઉધરસ છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. જેના માટે ફટકડીના ચૂરણને મધની સાથે મિલાવીને ચાટવાથી આ પરેશાનીમાંથી છૂટકારો મળશે.

ઘા પર અસરકારક

જો તમને કોઈ જગ્યાએ વાગ્યુ છે અથવા પછી ઈજા થઇ છે તો તમે ફટકડીનો ઉપયોગ કરો. કોઈ ઘા પરથી સતત લોહી વહી રહ્યું છે અને બંધ થતુ નથી તો ફટકડીના પાણીથી ઘાને ધોઈ નાખો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow