રાજકોટ શહેરના અન્ય વિસ્તારોમાં છ દરોડા,31 જુગારી ઝડપાયા

રાજકોટ શહેરના અન્ય વિસ્તારોમાં છ દરોડા,31 જુગારી ઝડપાયા

શહેરમાં પોલીસે મહિલા સંચાલિત મસમોટી જુગાર ક્લબ સહિત સાત સ્થળે દરોડા પાડી 50 જુગારીને રૂ.1.75 લાખની રોકડ સાથે પકડી પાડ્યા છે. મવડી પ્લોટ, પ્રજાપતિ સોસાયટી 2/5માં શિલ્પા ભાવેશ સંચાણિયા નામની મહિલાએ તેના ઘરે મોટા પાયે જુગાર ક્લબ ચાલુ કરી હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મહિલાના મકાનમાં જુગારના બે ફિલ્ડ ચાલતા હતા. જેમાં શિલ્પા સહિત 19 મહિલા તીનપત્તીનો જુગાર રમતા મળી આવી હતી.

પોલીસે રૂ.45,800ની રોકડ, એક મોબાઇલ મળી કુલ રૂ.50,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. કોઠારિયા રિંગ રોડ, વિજયનગર-1માં હીના ટાઇમ્સ નામના કારખાનામાંથી કારખાનેદાર મનસુખ બાબુ નોંઘણવદરા સહિત 4ને રોકડા રૂ.62,300 સાથે, કોઠારિયા રોડ, જડેશ્વરપાર્ક-1માં દિલીપ કાનજી સાવલિયાના મકાનમાંથી દિલીપ સહિત 3 શખ્સને રોકડા રૂ.24,500, 3 મોબાઇલ, બાઇક મળી કુલ રૂ.1.83 લાખના મુદ્દામાલ સાથે, આજી ડેમ ચોકડી, શ્રીરામ પાર્ક-3માં જ્યોતિષ રમેશ નારીગરાના મકાનમાંથી જ્યોતિષ, બે મહિલા સહિત 8 શખ્સને રૂ.11,290ની રોકડ સાથે, વામ્બે આવાસમાં નિલેશ કિશોર પરમારના ક્વાર્ટરમાંથી નિલેશ, બે મહિલા સહિત સાત શખ્સને રોકડા રૂ.11,230 સાથે, ગંજીવાડા નાકા પાસે જાહેરમાં જુગાર રમતા કૌશિક વિનુ ઠાકર સહિત 3 શખ્સને રોકડા રૂ.10,190 સાથે, નવા થોરાળા મેઇન રોડ પરથી જયંતી અરજણ ઝાલા સહિત છ શખ્સને રૂ.10,100ની રોકડ સાથે પોલીસે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow