'તમારી દીકરી સાથે બેસીને પઠાણ જોઈ દેખાડો', હવે MPના સ્પીકર ઉતર્યાં વિરોધમાં, શાહરુખને ફેંક્યો પડકાર

'તમારી દીકરી સાથે બેસીને પઠાણ જોઈ દેખાડો', હવે MPના સ્પીકર ઉતર્યાં વિરોધમાં, શાહરુખને ફેંક્યો પડકાર

મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પછી રાજ્યનાં વિધાનસભા અધ્યક્ષ ગિરીશ ગૌતમે પણ અભિનેતા શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ પઠાણનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે શાહરૂખે પોતાની દિકરીની સાથે આ ફિલ્મ જોવી જોઇએ, એક ફોટો અપલોડ કરવી જોઇએ અને દુનિયાને કહેવું જોઇએ કે તે પોતાની દિકરીની સાથે જોઇ રહ્યાં છે. હું તમને પૈગંબર પર એક આવી ફિલ્મ બનાવવી અને ચલાવવાનો ચેલેન્જ આપું છું.

નરોત્તમ મિશ્રાએ કર્યો વિરોધ
શાહરૂખખાનની આવી રહેલી ફિલ્મ પઠાણનાં એક ગીત બેશરમ રંગ આજકાલ ઘણો ચર્ચામાં છે ત્યારે મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ગીતમાં વેશભૂષા આપત્તિજનક છે, ગીતએક ગંદી માનસિકતાને દર્શાવે છે. નરોત્તમ મિશ્રાનું આ નિવેદન બેશરમ રંગનાં રિલીઝ થયાનાં 2 દિવસ બાદ આવ્યું હતું. તેમણે કહ્યું કે હું ફિલ્મ નિર્માતાઓને ગીતનાં આપત્તિજનક ભાગોને સુધારવાની સલાહ આપુ છું.

દિપીકા JNUમાં ટુકડે-ટુકડે ગેંગમાં શામેલ થઇ હતી
તેમણે કહ્યું કે આ પહેલા દિપીકા પાદુકોણ જેએનયૂમાં ટુકડે-ટુકડે ગેન્ગનાં સમર્થનમાં શામેલ થઇ હતી. તેની માનસીકતા ઉજાગર થઇ ગઇ. મારૂં માનવું છે કે ગીતનું ટાઇટલ બેશરમ રંગ આપત્તિજનક છે. સાથે જે જે રીતે ભગવા અને લીલા રંગનો ઉપયોગ વેશભૂષામાં કરવામાં આવ્યો છે તે પણ આપત્તિજનક છે. નિર્માતાએ જરૂરી બદલાવ કરવો જોઇએ, એવું ન કરતાં આ ફિલ્મ મધ્યપ્રદેશમાં રીલિઝ થશે કે નહીં તે અમે નક્કી કરશું.

સુરેશ પચૌરી સહિત  કોંગ્રેસ નેતાઓએ કર્યો ફિલ્મનો વિરોધ

વિપક્ષનાં નેતા ડો. ગોવિંદ સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી સહિત વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ પણ ફિલ્મનો વિરોધ કરતાં કહ્યું કે આ આપણાં મૂલ્યોની વિરુદ્ધનું છે. સુરેશ પચૌરીએ કહ્યું કે આ પઠાણનાં વિશે નથી પરંતુ પારિધાન એટલે કે કપડાંના વિશે છે. ભારતીય સંસ્કૃતિમાં કોઇપણ મહિલાને આ રીતે કપડાં પહેરી અને સાર્વજનિક રૂપે તે દ્રશ્યોને પ્રદર્શિત કરવાની પરવાનગી નહીં હોય, પછી તે હિન્દૂ હોય, મુસ્લિમ હોય કે અનુયાયી હોય.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow