ધોંસ વધતા ફેક એકાઉન્ટથી ચાઇનીઝ દોરીનું વેચાણ

ધોંસ વધતા ફેક એકાઉન્ટથી ચાઇનીઝ દોરીનું વેચાણ

ઉતરાયણ આવતા પતંગના રસિયાઓમાં ચાઇનીઝ દોરીની વધુ ડિમાંડને પગલે વેપારીઓ માનવભક્ષી દોરી પર પ્રતિબંધ હોવા છતાં નું વેચાણ બંધ કરી રહ્યા નથી. જેથી રાજ્યભરમાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ધોંસ વધતા ભેજાબોજોએ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી ચાઇનીઝ દોરીનું વેચાણ શરુ કરી દીધું. જેમાં વડોદરા પોલીસે આવા વેપારીઓને શોધી કાઢવાનો દાવો કર્યો છે.

વડોદરામાં 4 દિવસમાં ઘાતક દોરીથી બે લોકોએ જીવ ગુમાવતા સરકારી સંત્ર સજાગ્ર બન્યું છે. પોલીસે 15 આરોપીને પકડ્યા છે. આખા નેટવર્કને તોડી પાડવાની તૈયારી કરી છે. જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારા સામે ગુનો નોંધવામાં આવશે. વડોદરા ક્રાઇમ વિભાગમા એસીપી એચ. આર રાઠોડે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારાનું એકાઉન્ટ ફેક છે અને તેમણે આપેલું સરનામું પણ બોગસ છે.

આ લોકો ગ્રામ્ય વિસ્તાર અને શહેરની આસપાસના જ હોવાનું જણાયું છે. ટુંકમાં જ તેમને ઝડપી પાડવાામાં આવશે. દરમિયાન ચાઇનીઝ દોરીના પ્રતિબંધ છતા આવી દોરીનો બિન્દાસ પણે વેપાર કરતા એક શખ્સને મુદ્દામાલ સાથે ભાવનગર એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. આંબાચોક વિસ્તારમાં વેચાણ કરતા આમન ઉમરભાઇ જુસાણીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ -ખેડામાં 12284 ફિરકી કબજે લેવાઇ
આણંદ અને ખેડા જિલ્લામાં કુલ 10 સ્થળેથી પોલીસે 12284 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા અને રીલ કબજે લીધા હતા. જેમાં બાલાસિનોરમાં ગોડાઉન જ પોલીસે ઝડપ્યું હતું. જેમાંથી 12 હજાર ફિરકા કબજે લીધા હતા. એ સિવાય, ખેડામાં ચકલાસી, ડાકોર, વસો, મહેમદાવાદ, ઠાસરા અને લિંબાસી તથા આણંદ પાસેના કરમસદ અને બોરસદના કસુંબાડમાંથી પોલીસે ચાઈનીઝ દોરી ઝડપી પાડી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow