ગેરકાયદેસર ગુટકાનો જથ્થો જપ્ત

ગેરકાયદેસર ગુટકાનો જથ્થો જપ્ત

વાપીથી પનવેલ જઈ રહેલો ગેરકાયદેસર ગુટકાના જથ્થાને નવસારીની એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. કુલ 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી વધુ તપાસ માટે ગણદેવી પોલીસને સોંપવામાં આવ્યાં છે.


પોલીસે બાતમીના આધારે ગુટકાનો જથ્થો ઝડપ્યો​​​​​​​
નેશનલ હાઇવે નંબર 48ના મટવાડ ગામ પાસે પોલીસને બાતમી મળતા ચેકિંગમાં હતી. તે દરમિયાન મુંબઈ-અમદાવાદ રૂટ પર ટેમ્પો ચાલક ભૂલમાં નવસારી જિલ્લાની હદમાં આવી જતા તે ચીખલી થઈને સાપુતારા થઈ મહારાષ્ટ્ર જવાની ફિરાકમાં હતો તે પહેલા જ નવસારી જિલ્લા એલસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો રોકી તેમાં તપાસ કરતા 5 લાખ 77 હજાર 280 રૂપિયાનો ગુટખાનો મુદ્દામાલ જે બિલ વગર વહન થઈ રહ્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં આ સમગ્ર મુદ્દામાલ ડ્રાઇવર અને ક્લીનર પનવેલ પહોંચાડવાની માહિતી મળી હતી. જેથી એલસીબીએ ગેરકાયદેસર ગુટખાના મુદ્દા માલ સાથે ટેમ્પો અને અન્ય સામાન મળી કુલ 8,90,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


​​​​​​​​​​​​​​પોલીસે વધુ તપાસ હાથ ધરી
ગેરકાદેસર ગુટખાના જથ્થાને એલસીબી એ ઝડપી પાડી તપાસ ગણદેવી પોલીસને સોંપવામાં આવી છે. ગણદેવી પોલીસે વધુ તપાસ માટે આરોપીને મહારાષ્ટ્ર લઈ ગઈ છે. આ ગુટકાનો મુદ્દામાલ કોના ઇશારે અને ક્યાંથી ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow