રિષભ પંતના અકસ્માત બાદ ઉર્વશી રૌતેલા પણ સદમામાં, ઈન્સ્ટાગ્રામ પર જુઓ શું કહ્યું

રિષભ પંતના અકસ્માત બાદ ઉર્વશી રૌતેલા પણ સદમામાં, ઈન્સ્ટાગ્રામ પર જુઓ શું કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે શુક્રવારે સવારે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઋષભ પંતની કારનો ભયાનક અકસ્માત જોઈને લોકોનો જીવ તાળવે ચોંટી ગયો. રિપોર્ટ અનુસાર ઋષભ પંતની મર્સિડીઝ દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

જે તસવીરો સામે આવી છે તે હૃદયને હચમચાવી દે તેવી હતી. દુર્ઘટના બાદ કારની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. લોકોને તેમના મનપસંદ ક્રિકેટરની ચિંતા કરવા લાગ્યા. આ દરમિયાન કેટલાકને અભિનેત્રી ઉર્વશી રૌતેલા યાદ આવી.

રિષભ પંતનો થયો અકસ્માત
ઉર્વશી રૌતેલાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. કદાચ તેને આશા હતી કે આ ભયાનક અકસ્માત પછી તે ઋષભ પંતને જલ્દી સ્વસ્થ થવાનો સંદેશ મોકલશે અને તે જ થયું. ઉર્વશીએ હાલમાં જ એક તસવીર શેર કરી જેમાં તે અપ્સરા જેવી સુંદર દેખાઈ રહી છે અને તેણે કેપ્શનમાં લખ્યું છે 'પ્રેયિંગ'. લોકોએ તેની સુંદરતા પર ધ્યાન પણ ન આપ્યું અને ઉલટું તેને જ ટોણા મારવા લાગ્યા.

ઉર્વશી રૌતેલાએ કરી પ્રાર્થના
એક યુઝરે તેને લખ્યું- અરે કેમ ફોટો પોસ્ટ કરી રહ્યા છો, ઋષભ ભાઈનો અકસ્માત થયો છે, ગેલ વેલ સૂન રિષભ પંત. તો બીજાએ લખ્યું કે તેથી જ તેણે કેપ્શનમાં "પ્રેયિંગ" લખ્યું. એક યુઝર્સ એટલો ગુસ્સે થયો કે તેણે સીધું જ લખ્યું – પડી ગઈ કાળજાને ઠંડક?તો એક યુઝરે લખ્યું કે આરપી કોણ છે જાણતી નથી પરંતુ પોસ્ટની સાથે લખ્યું છે કે પ્રાર્થના કરીશ. તો એકે લખ્યુ ટેન્શન ન લે તે આઉટ ઓફ ડેન્જર છે. અમે તો કરી રહ્યા છીએ પ્રેયર.

લોકોએ કર્યું ટ્રોલ
જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ ઉર્વશી અને ઋષભના નામના ચર્ચા થવા લાગ્યા ત્યારે એક્ટ્રેસે કહ્યું કે આરપી તેને મળવા દિલ્હીના હોટલ રૂમમાં આવ્યા હતા અને કલાકો સુધી રાહ જોઈ. જેના જવાબમાં ઋષભ પંથે લખ્યું કે, 'મારો પીછો છોડી દો દીદી'. ત્યાર બાદ બન્નેની વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ છેડાઈ ગઈ. ઉર્વશી રૌતેલાએ પણ નામ લીધા વગર તેમના માટે છોટૂભૈયા કહીને પોસ્ટ કરવાનું શરૂ કરી દીધુ.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow