સંકષ્ટી ચોથ, આ વ્રતમાં કૃષ્ણ પિંગાક્ષના રૂપમાં ગણેશની પૂજા કરવાની પરંપરા

સંકષ્ટી ચોથ, આ વ્રતમાં કૃષ્ણ પિંગાક્ષના રૂપમાં ગણેશની પૂજા કરવાની પરંપરા

દર મહિને આવતી સંકષ્ટી ચતુર્થી પર ગણેશજીની વિશેષ પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેનાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. 7 જૂને સંકટ ચોથ હશે.

કૃષ્ણ પક્ષમાં હોવાથી આ સંકષ્ટી ચોથ હશે. બુધવારના સંયોગને કારણે આ વ્રતમાં ગણેશજીની પૂજાથી અનેક ગણું પુણ્ય મળશે. આ દિવસે બ્રહ્મા અને મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. જેના કારણે આ વ્રત વધુ ખાસ બનશે.

અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશના કૃષ્ણ પિંગલ સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે. એટલે કે આ દિવસે ઘેરા બદામી રંગના ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી રોગો અને સમસ્યાઓથી મુક્તિ મળે છે.

મોદક અને દુર્વાથી પૂજા કરવાની રીત
જેઠ વદ ચતુર્થીના દિવસે ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગણેશજીની પૂજા બાર નામોથી કરવામાં આવે છે. દરેક નામ બોલ્યા પછી દુર્વા ચઢાવો. પૂજા પૂર્ણ થયા બાદ મોદકનો ભોગ અર્પણ કરો.

પદ્મ પુરાણઃ ગણેશજીને પ્રથમ પૂજાનું વરદાન મળ્યું હતું
પદ્મ પુરાણ અનુસાર, આ તિથિએ ભગવાન ગણેશએ કાર્તિકેય સાથે પૃથ્વીની પરિક્રમા કરવાની સ્પર્ધામાં પૃથ્વીને બદલે સાત વખત ભગવાન શિવ-પાર્વતીની પરિક્રમા કરી હતી. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને તેમને દેવતાઓમાં મુખ્ય માનીને પ્રથમ પૂજાનો અધિકાર આપ્યો છે.

સંકષ્ટી ચતુર્થી અને ગણેશ પૂજા
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રાએ જણાવ્યું કે સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવી દે છે. સંકષ્ટી શબ્દ એ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મુશ્કેલ સમયમાંથી મુક્તિ મેળવવી. આ દિવસે ભક્તો પોતાના દુ:ખમાંથી મુક્તિ મેળવવા માટે ગણપતિની પૂજા કરે છે. પુરાણો અનુસાર ચતુર્થીના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ફળદાયી છે. આ દિવસે ઉપવાસ કરવાનું વધુ મહત્ત્વ ધરાવે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow