સંકષ્ટી ચોથ, આ વ્રતમાં કૃષ્ણ પિંગાક્ષના રૂપમાં ગણેશની પૂજા કરવાની પરંપરા

સંકષ્ટી ચોથ, આ વ્રતમાં કૃષ્ણ પિંગાક્ષના રૂપમાં ગણેશની પૂજા કરવાની પરંપરા

દર મહિને આવતી સંકષ્ટી ચતુર્થી પર ગણેશજીની વિશેષ પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેનાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. 7 જૂને સંકટ ચોથ હશે.

કૃષ્ણ પક્ષમાં હોવાથી આ સંકષ્ટી ચોથ હશે. બુધવારના સંયોગને કારણે આ વ્રતમાં ગણેશજીની પૂજાથી અનેક ગણું પુણ્ય મળશે. આ દિવસે બ્રહ્મા અને મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. જેના કારણે આ વ્રત વધુ ખાસ બનશે.

અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશના કૃષ્ણ પિંગલ સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે. એટલે કે આ દિવસે ઘેરા બદામી રંગના ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી રોગો અને સમસ્યાઓથી મુક્તિ મળે છે.

મોદક અને દુર્વાથી પૂજા કરવાની રીત
જેઠ વદ ચતુર્થીના દિવસે ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગણેશજીની પૂજા બાર નામોથી કરવામાં આવે છે. દરેક નામ બોલ્યા પછી દુર્વા ચઢાવો. પૂજા પૂર્ણ થયા બાદ મોદકનો ભોગ અર્પણ કરો.

પદ્મ પુરાણઃ ગણેશજીને પ્રથમ પૂજાનું વરદાન મળ્યું હતું
પદ્મ પુરાણ અનુસાર, આ તિથિએ ભગવાન ગણેશએ કાર્તિકેય સાથે પૃથ્વીની પરિક્રમા કરવાની સ્પર્ધામાં પૃથ્વીને બદલે સાત વખત ભગવાન શિવ-પાર્વતીની પરિક્રમા કરી હતી. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને તેમને દેવતાઓમાં મુખ્ય માનીને પ્રથમ પૂજાનો અધિકાર આપ્યો છે.

સંકષ્ટી ચતુર્થી અને ગણેશ પૂજા
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રાએ જણાવ્યું કે સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવી દે છે. સંકષ્ટી શબ્દ એ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મુશ્કેલ સમયમાંથી મુક્તિ મેળવવી. આ દિવસે ભક્તો પોતાના દુ:ખમાંથી મુક્તિ મેળવવા માટે ગણપતિની પૂજા કરે છે. પુરાણો અનુસાર ચતુર્થીના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ફળદાયી છે. આ દિવસે ઉપવાસ કરવાનું વધુ મહત્ત્વ ધરાવે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow