સોમવારે સફલા એકાદશી

સોમવારે સફલા એકાદશી

માગશર મહિનાના વદ પક્ષની એકાદશી 19 ડિસેમ્બર, સોમવારે રહેશે. પુરાણોમાં તેને સફલા એકાદશી નામ આપવામાં આવ્યું છે. એટલે આ વ્રતને કરવાથી જલ્દી જ પુણ્ય મળી જાય છે. જેમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની કામના સાથે વ્રત રાખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. મહાભારત કાળમાં યુધિષ્ઠિરે આ એકાદશીનું વ્રત કર્યું હતું.

દુઃખ અને દુર્ભાગ્યથી મુક્તિ આપનાર વ્રત
માન્યતા છે કે બધા પ્રકારના દુઃખ અને દુર્ભાગ્યથી મુક્તિ અપાવનાર સફલા એકાદશીનું વ્રત મહાભારત કાળમાં યુધિષ્ઠિરે પણ કર્યું હતું. એટલે વિધિ-વિધાન અને શ્રદ્ધા, વિશ્વાસ સાથે એકાદશી વ્રત અને પૂજા-પાઠ કરવાથી ભગવાન વિષ્ણુ ઝડપથી પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થઈને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

પૂજા વિધિ અને નિયમ

સફલા એકાદશીના વ્રતને સફળ બનાવવવા માટે આ રીતે પૂજા કરો
વ્રતની પૂજા કરતા પહેલાં ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરો.
પીળા કપડા પહેરીને ભગવાન વિષ્ણુને ગાયના દૂધથી, પછી શંખમાં ગંગાજળ ભરીને સ્નાન કરાવો.
ભગવાન વિષ્ણુને પીળા કપડાં પહેરાવો અને ધૂપ, દીપ પ્રગટાવીને પૂજા કરો.
પૂજામાં પીળા ફૂલ, ફળ અને પીળા ચંદનથી તેમનો શ્રૃંગાર કરી તેમને તુલસી મિશ્રિત પંચામૃત અર્પણ કરો.
પૂજા કરતી સમયે આ મંત્રનો જાપ કરો
ૐ નમો ભગવતે વાસુદેવાય
ૐ હ્રીં શ્રીં લક્ષ્મીવાસુદેવાય નમઃ
ૐ નમો નારાયણ

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow