સર્વાર્થસિદ્ધિ અને રવિયોગમાં કાલે રૂદ્ર વ્રતની થશે ઉજવણી

સર્વાર્થસિદ્ધિ અને રવિયોગમાં કાલે રૂદ્ર વ્રતની થશે ઉજવણી

12 મે, શુક્રવા વૈશાખ માસની અષ્ટમી છે. આ તિથિએ વ્રત રાખીને ભગવાન શિવના રુદ્ર સ્વરૂપની પૂજા કરવી જોઈએ. જેને રુદ્ર વ્રત પણ કહેવામાં આવે છે. શિવપુરાણ અનુસાર આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ અને દોષ દૂર થાય છે. તમે તમારા શત્રુઓ ઉપર પણ વિજય મેળવશો.

રુદ્ર વ્રત પર ભગવાન શિવની પૂજા કરવાની સાથે ખરીદી અને નવી શરૂઆત માટે શુભ સમય રહેશે. આ દિવસે તિથિ, વાર, નક્ષત્ર મળવાથી સર્વાર્થસિદ્ધિ અને રવિયોગની રચના થઈ રહી છે. આ શુભ યોગોના કારણે કરેલા કાર્યોમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે.

રુદ્ર વ્રત અને પૂજા પદ્ધતિ
રુદ્ર વ્રતમાં સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવું જોઈએ. જો તમે આમ ન કરી શકો તો તમારે ઘરમાં જ ગંગાજળના થોડા ટીપાં અને કાળા તલ નાખીને સ્નાન કરવું જોઈએ. જેને તીર્થ સ્નાન ગણવામાં આવે છે.

સ્નાન કર્યા પછી રુદ્રાક્ષની માળા પહેરો. ભસ્મને માથા અને હાથ પર લગાવો. ચંદનનું તિલક લગાવો. પછી આખો દિવસ વ્રત રાખવાની અને રુદ્ર પૂજા કરવાની પ્રતિજ્ઞા લો. આ પછી મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવો. આ દિવસે સવાર-સાંજ શિવલિંગ પાસે તલના તેલનો દીવો કરવો.

આ તિથિએ રૂદ્રાભિષેક કરવાનો પણ નિયમ છે. જેનાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને આયુષ્ય વધે છે. રૂદ્રાભિષેક દૂધ, પંચામૃત, પાણી, મધ, ખાંડ અને ફળોના રસથી કરવો જોઈએ. મોસમી ફળોના રસ સાથે રૂદ્રાભિષેક કરવાથી રોગો દૂર થવા લાગે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow