RRની સ્પિન ત્રિપુટીએ ચેન્નઈના બેટર્સને બાંધી રાખ્યા

RRની સ્પિન ત્રિપુટીએ ચેન્નઈના બેટર્સને બાંધી રાખ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનની 17મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી, જેમાં રાજસ્થાન રોયલ્સનો 3 રને રોમાંચક મેચમાં વિજય થયો હતો. CSKને છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી. આ ઓવરમાં સંદીપ શર્માએ મહેન્દ્ર સિંહ ધોની અને રવીન્દ્ર જાડેજાની સામે માત્ર 17 રન જ આપ્યા હતા. ધોનીએ છેલ્લી ઓવરમાં 2 સિક્સર ફટકારી હતી, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો. ધોની અને જાડેજા વચ્ચે 59* રનની પાર્ટનરશિપ થઈ હતી.

CSK ઘરઆંગણે તેની 16મી મેચ હારી છે. તો રાજસ્થાને 15 વર્ષ બાદ ચેન્નઈને તેના હોમગ્રાઉન્ડમાં હરાવ્યું છે. છેલ્લી વખત ટીમ 2008માં જીતી હતી.

મોઈન અલીએ અશ્વિનનો કેચ છોડ્યો, અંતે ભારે પડ્યો
રાજસ્થાન રોયલ્સની ઇનિંગની 9મી ઓવર રવીન્દ્ર જાડેજા નાખી રહ્યા હતા. જેમાં તેમણે પહેલા તે ઓવરના ત્રીજા બોલે દેવદત્ત પડ્ડિકલને આઉટ કર્યા હતા. આ પછી ઓવરના પાંચમા બોલે કેપ્ટન સંજુ સેમસનને બોલ્ડ કર્યા હતા. આ પછી નંબર-5 પર રવિચંદ્રન અશ્વિન આવ્યો હતો. ઓવરના છેલ્લા બોલે જાડેજાએ નાખેલા બોલ પર અશ્વિન ડિફેન્ડ કરવા ગયો, પણ એડ્જ વાગતા બોલ સ્લિપમાં ગયો હતો. પણ ત્યાં ઊભેલા મોઈન અલીએ કેચ છોડી દીધો હતો. તે વખતે અશ્વિન ગોલ્ડન ડક થયો હતો. પરંતુ તે કેચ છોડવો ભારે પડ્યો અને રવિચંદ્રન અશ્વિન 22 બોલમાં 30 રનની મહત્ત્વની ઇનિંગ રમીને ગયો હતો. મોઈન અલીએ અશ્વિનને રનઆઉટ કરતા પણ મિસ થયો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow