રાજકોટમાં ગાય સાથે દુષ્કૃત્ય કરનારનો કેસ નહીં લડવા બાર એસો.નો ઠરાવ

રાજકોટમાં ગાય સાથે દુષ્કૃત્ય કરનારનો કેસ નહીં લડવા બાર એસો.નો ઠરાવ

રાજકોટમાં રવિવારે બપોરે કેસરી પુલ નીચે ગાય સાથે અધમ કૃત્ય કરી રહેલા નરાધમને માલધારીઓએ ઝડપી લઇ પોલીસ હવાલે કર્યો હતો. ગાય સાથે આવું દુષ્કૃત્ય આચરનાર સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો તો આવું કૃત્ય કરનારના પક્ષે કોઇ વકીલે કેસ લડવો નહીં તેવો રાજકોટ બાર એસોસિએશનને ઠરાવ પસાર કર્યો હતો.

રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ લલિતસિંહ શાહીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં ગાયનું ધાર્મિક મહત્ત્વ છે અને લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે. રાજકોટમાં નરસંગપરામાં રહેતો લાલો રમણીક વાળા (ઉ.વ.24) નામનો શખ્સ ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતા ઝડપાઇ ગયો હતો અને તેની સામે પોલીસે સૃષ્ટિવિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી, આવું દુષ્કૃત્ય ભવિષ્યમાં કોઇ કરે નહીં તે માટે રાજકોટ બાર એસોસિએશને એક પરિપત્રમાં ઠરાવ પસાર કર્યો છે જેમાં આરોપી લાલા વાળા તરફે કોઇ વકીલ નૈતિક રીતે કેસ લડે નહીં તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.

બીજીબાજુ બી. ડિવિઝનના પીઆઇ કરપડાએ જણાવ્યું હતું કે, આરોપી લાલા વાળાનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું અને સોમવારે તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો, તેમજ આરોપી વિરુદ્ધ સાંયોગિક પુરાવા મેળવવા એફએસએલ અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા તેમજ વેટરનરી ડોક્ટરની પણ મદદ લેવામાં આવી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow