પોતાના સાથીઓના ગુણોને ઓળખો અને તેમની પર ભરોસો કરો, કોઈ સાથીનો આત્મવિશ્વાસ નબળો હોય તો તેને પ્રેરિત કરો

પોતાના સાથીઓના ગુણોને ઓળખો અને તેમની પર ભરોસો કરો, કોઈ સાથીનો આત્મવિશ્વાસ નબળો હોય તો તેને પ્રેરિત કરો

ગુરુવારે શ્રીરામનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવશે. શ્રીરામના જીવનની અનેક એવી ઘટનાઓ છે, જેમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર છુપાયા છે. આ ઘટનાઓના સંદેશાઓને જીવનમાં ઊતારી લેવામાં આવે તો અનેક પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે. જાણો એક એવી ઘટના, જેમાં શ્રીરામે સંદેશ આપ્યો છે કે આપણે પોતાના સાથીઓના ગુણોને ઓળખવા જોઈએ અને તેમને પ્રેરિત કરવા જોઈએ.  

હનુમાનજીએ શ્રીરામને જણાવ્યું કે દેવી સીતા સમુદ્ર પાર લંકામાં કેદ છે. તેના માટે શ્રીરામ વાનર સેવાની સાથે દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે પહોંચી ગયા. આખી વાનર સેનાની સાથે સમુદ્ર પાર કરવું ખૂબ જ મુશ્કેલ કામ હતું.

શ્રીરામે સમુદ્ર દેવતાને પ્રાર્થના કરી કે તેમને વાનર સેનાની સાથે સમુદ્ર પાર કરવા માટે રસ્તો આપવામાં આવે. સમુદ્ર દેવે શ્રીરામને કહ્યું કે તમારી સેનામાં નલ-નીલ બે ભાઈઓ છે તેઓ વિશ્વકર્માના પુત્ર છે. તેમને ઋષિઓને શ્રાપ આપ્યો હતો કે તેઓ જે વસ્તુ પાણીમાં ફેંકશે, તે ડૂબશે નહીં. તમે તેમની મદદથી સમુદ્ર પર સેતુ બાંધી શકો છો. સેતુની મદદથી આખી સેના સરળતાથી લંકા પહોંચી જશે.  

સમુદ્ર દેવની સલાહ પછી શ્રીરામે નલ-નીલને સમુદ્ર પર સેતુ બાંધવાની જવાબદારી સોપી દીધી. બધા વાનરોના સહયોગથી નલ-નીલે સમુદ્ર પર પત્થરોથી સેતુ બનાવવાનું શરૂ કરી દીધું. થોડા સમય બાદ બધા વાનરોની સાથે શ્રીરામ લંકા પહોંચી ગયા.

જ્યારે શ્રીરામ વાનર સેવાની સાથે લંકા પહોંચ્યા તો તેમને હનુમાનજીને નહીં અંગદને દૂત બનાવીને રાવણની સભામાં મોકલ્યો. અંગદે લંકાના દરબારમાં દૂત બનાવીને મોકલવાથી રાવણને સમજાઈ ગયું હતું કે શ્રીરામની સેનામાં હનુમાન જ નહીં, પણ અંગદ જેવા બીજા પણ શક્તિશાળી વાનર છે.

લંકા જતાં પહેલાં અંગદનો આત્મવિશ્વાસ નબળો હતો, કારણ કે અંગદે સીતાની શોધ કરવામાં લંકા જવાની અસમર્થતા દર્શાવી હતી. ત્યારબાદ હનુમાનજીએ લંકા પહોંચીને સીતાની શોધ કરી હતી. રામજીએ અંગદને રાવણના દરબારમાં દૂત બનાવીને મોકલ્યો, તેને પ્રેરિત કર્યો, જેનાથી તેનો આત્મવિશ્વાસ પણ જાગી ગયો.

શ્રીરામની શીખ
આ કિસ્સામાં શ્રીરામે નલ-નીલ અને અંગદ પર પોતાનો ભરોસો દેખાડ્યો. શ્રીરામ સંદેશ આપી રહ્યાં છે કે આપણે પોતાના સાથીઓના ગુણો અને નબળાઈઓ વિશે જાણકારી હોવી જોઈએ. જો કોઈનો આત્મવિશ્વાસ નબળો પડી રહ્યો હોય તો તેનું મનોબળ વધારવું જોઈએ, તેને પ્રેરિત કરવા જોઈએ. ત્યારે મોટા-મોટા લક્ષ્ય પૂરાં કરી શકાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow