રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ સ્થિત કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક બાળકને વિશ્વના 10 લાખમાંથી કોઈ એક બાળકને થતી અત્યંત દુર્લભ એવી ક્રીગલર-નાઝર-સિંડ્રોમ નામની લિવરની બીમારી લાગુ પડી હતી. 8 માસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ, આ બાળકને હોસ્પિટલના તબીબોની સઘન સારવાર અને દેખરેખ હેઠળ સ્વસ્થ કરવામાં આવ્યું છે. હવે આ બાળકનું મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

ડો. રાધિકા નંદાણીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં એક નવજાત શિશુ કમળાની ગંભીર બીમારી સાથે દાખલ થયું હતું. બાળરોગ નિષ્ણાત ડો. રાધિકા નંદાણીએ વિગતો આપતા જણાવ્યું કે, એક મહિનાના બાળકને વારંવાર કમળો થતો હતો. બાળકના ઊંડાણપૂર્વકના ઇન્વેસ્ટિગેશન કરાવતા તેને અત્યંત દુર્લભ બીમારી ક્રીગલર-નાઝર-સિંડ્રોમ હોવાનું નિદાન થયું. આ બીમારી વિશ્વમાં 10 લાખમાંથી એક બાળકને થાય છે અને ભારતમાં આવા કેસો ભાગ્યે જ જોવા મળે છે. આ બીમારીમાં બિલિરૂબિન નામનો પદાર્થ શરીરમાંથી બહાર નીકળી શકતો નથી, અને તેની વધુ માત્રા થવાથી બાળકના માનસિક વિકાસ પર ગંભીર અસર થાય છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow