પંજાબ દિલ્હી સામે હારી ગયું, પ્લેઓફનો રસ્તો મુશ્કેલ

પંજાબ દિલ્હી સામે હારી ગયું, પ્લેઓફનો રસ્તો મુશ્કેલ

ટોપ-4ની રેસમાંથી પહેલેથી જ બહાર રહેલી દિલ્હી કેપિટલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-16ની 64મી મેચમાં પંજાબ કિંગ્સ સામે 15 રને વિજય મેળવ્યો હતો. આ હાર બાદ પ્લેઓફની રેસમાં પંજાબ કિંગ્સનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. હવે ટીમ પોતાની છેલ્લી મેચ જીતીને પણ પોઇન્ટ્સ ટેબલમાં માત્ર 14 પોઇન્ટ્સ પર પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, પ્લેઓફમાં પહોંચવા માટે, ટીમને બેંગ્લોર અને મુંબઈ માટે એક-એક મેચ હારવાની પ્રાર્થના કરવી પડશે.

ધર્મશાલા મેદાનમાં પંજાબે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 2 વિકેટે 213 રન બનાવ્યા હતા. 214 રનના ટાર્ગેટને ચેઝ કરતા પંજાબના બેટર્સ 20 ઓવરમાં 8 વિકેટે 198 રન જ બનાવી શક્યા હતા.

પ્રભસિમરન-તાયડેની 50 રનની ભાગીદારી
ઝીરો પર કેપ્ટન શિખર ધવનની વિકેટ ગુમાવ્યા બાદ પ્રભસિમરન સિંહ અને અથર્વ તાયડે પંજાબને સંભાળ્યું હતું. બંનેએ બીજી વિકેટ માટે 33 બોલમાં 50 રનની ભાગીદારી કરી હતી. અક્ષર પટેલે પ્રભસિમરનને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.

પાવરપ્લેમાં ધવનની વિકેટ પડી
214 રનના ટાર્ગેટને ચેઝ કરતા ખલીલ અહેમદે પંજાબ કિંગ્સ સામે પ્રથમ ઓવર મેડન ફેંકી હતી. ટીમે બીજી ઓવરમાં જ શિખર ધવનની વિકેટ પણ ગુમાવી દીધી હતી. તેની વિકેટ ઈશાંત શર્માએ લીધી હતી. ત્રીજા નંબરે ઉતરેલા અથર્વ તાયડેએ પ્રભસિમરન સિંહ સાથે ઇનિંગને સંભાળી હતી. ટીમે 6 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 47 રન બનાવ્યા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow