બૂટલેગર સુધી પહોંચે તે પહેલા બામણબોરથી 385 પેટી દારૂ ભરેલી ટ્રક પોલીસે ઝડપી લીધી

બૂટલેગર સુધી પહોંચે તે પહેલા બામણબોરથી 385 પેટી દારૂ ભરેલી ટ્રક પોલીસે ઝડપી લીધી

શહેરની ભાગોળે બામણબોર નજીકથી વધુએક દારૂ ભરેલી ટ્રક પોલીસે પકડી લીધી હતી, અમૃતસરથી નીકળેલી ટ્રક બૂટલેગર સુધી પહોંચે તે પહેલા એરપોર્ટ પોલીસે 385 પેટી દારૂ ભરેલી ટ્રક ઝડપી ચાલક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી હતી, પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.29.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ચોટીલા તરફથી આવી રહેલી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી મળતાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એ.ઝણકાંત સહિતની ટીમે વોચ ગોઠવી હતી, નિયત વર્ણન વાળી ટ્રક બામણબોર પહોંચતા જ પોલીસે તેને અટકાવી હતી, પોલીસે ટ્રકના ઠાઠામાં તપાસ કરતાં કોલસો જોવા મળ્યો હતો, દારૂની ચોક્કસ માહિતી હોવાથી પોલીસે કોલસો દૂર કરી તપાસ કરતાં જ એક ચોરખાનું જોવા મળ્યું હતું તે ખોલતાં જ અંદરથી રૂ.19,41,300ની કિંમતની 4620 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.29,71,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ટ્રકચાલક રાજસ્થાનના કલજીકી બેરી ગામના જેઠારામ હિરારામ જાખડ (ઉ.વ.22)ની ધરપકડ કરી હતી. જેઠારામે પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, અમૃતસરથી દારૂ ભરેલી ટ્રક લઇને રવાના થયો હતો, સપ્લાયર લોકેશન આપતો હતો તેમ તે આગળ વધતો હતો, દારૂ કોને અને ક્યાં આપવાનો હતો તેનાથી તે અજાણ હતો, નવું લોકેશન મળે તે પહેલા બામણબોર નજીક પોલીસે ઝડપી લીધો હતો, અત્રે ઉલ્લેખનીય છેકે, પંદરેક દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે એક અને એરપોર્ટ પોલીસે એક દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી તે બંને ટ્રક પણ અમૃતસરથી દારૂ ભરીને નીકળી હતી, આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે પરંતુ કહેવાતા ક્રાઇમ બ્રાંચના જાંબાઝ અધિકારીઓ હજુ સુધી એ દારૂ કોણે મગાવ્યો હતો તે શોધી શક્યા નથી, આજે પકડાયેલો દારૂ કોનો હતો તે ખૂલશે કે કેમ તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow