રેલનગર, સાંઇબાબા સોસાયટી-1માં પોલીસનો દરોડો

રેલનગર, સાંઇબાબા સોસાયટી-1માં પોલીસનો દરોડો

રેલનગર મેઇન રોડ, સાંઇબાબા સોસાયટી-1માં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુ મસીપ્રિય ક્રિશ્ચિયન નામના પ્રૌઢે તેના ઘરે મિત્રોને બોલાવી દારૂની મહેફિલ યોજી હોવાની પ્રદ્યુમ્નનગર પોલીસને માહિતી મળી હતી. પોલીસે રવિવારે રાતે દરોડો પાડી વિદેશી દારૂની મહેફિલ માણતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુ ઉપરાંત ધર્મેન્દ્ર પ્રવીણ ભટ્ટી, નરેન ઉર્ફે લાલો અરૂણ ભટ્ટી, રવિ ચંદ્રકાંત ભટ્ટી, મનહર નીતિન ચૌહાણને દારૂનો નશો કરેલી હાલતમાં પકડી પાડ્યા હતા. દારૂની મહેફિલમાંથી વિદેશી દારૂની થોડી ભરેલી બોટલ તેમજ વેફર, વટાણા સહિતનો નાસ્તો મળી આવ્યો હતો.

પોલીસે તમામ વસ્તુઓ કબજે કરી પાંચેય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જ્યારે નવા થોરાળામાં આવેલા વિનોદનગર-1માં રહેતા વિનય મોહન બથવાર નામના શખ્સને તેના ઘર નજીકથી વિદેશી દારૂના 80 ચપલા સાથે થોરાળા પોલીસે ઝડપી લીધો હતો. તેમજ મોરબી બાયપાસ રિંગ રોડ પરથી પોલીસે આઇસર ટ્રકને અટકાવી હતી.

આઇસરની તલાશી દરમિયાન અંદરથી વિદેશી દારૂની કુલ 59 બોટલ મળી આવી હતી. ચાલકની પૂછપરછ કરતા તે ગાંધીગ્રામ અક્ષરનગર મેઇન રોડ પર રહેતો મનસુખ ઉર્ફે મુન્નો કાનજી કંબોડિયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂ તેમજ ટ્રક મળી કુલ રૂ. 6.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દાદરાનગર અને હવેલીનો વિદેશી દારૂ મનસુખ ક્યાંથી લઇ આવ્યો તે સહિતની વિગતો બહાર લાવવા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow