PM જીવન જ્યોતિ વીમા યોજના

PM જીવન જ્યોતિ વીમા યોજના

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) નામથી વીમા યોજના ચલાવે છે. યોજનામાં લાભાર્થીના કોઈપણ રીતે મૃત્યુ થવા પર નોમિની અથવા પરિવારને 2 લાખ રૂપિયાની રકમ મળે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિનું બીમારી અથવા અકસ્માતને કારણે મૃત્યુ થાય છે, તો વીમાધારક વ્યક્તિના નોમિની અથવા પરિવારને વીમા તરીકે 2 લાખ રૂપિયા મળશે. અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ.

આ એક ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે
PMJJBY ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે. ટર્મ ઇન્શ્યોરન્સમાં લાભ પોલિસીધારકના મૃત્યુ પછી જ મળે છે. જો પોલિસીધારક મુદત પૂરી થયા પછી સ્વસ્થ રહે છે, તો તેને કોઈ લાભ મળતો નથી. 18થી 50 વર્ષની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.

436 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું રહેશે
PMJJBYનો લાભ લેવા માટે દર વર્ષે 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. પ્રીમિયમની આ રકમ 25 મેથી 31 મે દરમિયાન ખાતામાંથી આપમેળે કપાઈ જશે. આ માટે અરજદારે પોતાની સંમતિ આપવી પડશે.

કવરનો સમયગાળો 1 જૂનથી 31 મે સુધી
કવર પિરિયડ 1 જૂનથી 31 મે સુધીનો હોય છે. આનો અર્થ એ છે કે PMJJBY પોલિસી જે પણ તારીખે ખરીદવામાં આવે છે, પ્રથમ વર્ષ માટે તેનું કવરેજ આગામી વર્ષની 31મી મે સુધી જ રહેશે. આમાં સ્કીમમાં નોંધણીના 45 દિવસ પછી રિસ્ક કવર ઉપલબ્ધ છે.

બેંક ખાતું હોવું જરૂરી
PMJJBYનો લાભ લેવા માટે અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. આ બેંક એકાઉન્ટ સરકારી અથવા ખાનગી બેંકમાં હોઈ શકે છે. આ પછી અરજદારે PMJJBYનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે.

કેવી રીતે મળે છે ઇન્શ્યોરેન્સ ક્લેમ ?
નોમિનીએ વીમા કંપની અથવા બેંકમાં ક્લેમ કરવો પડશે જ્યાં વ્યક્તિનો વીમો લેવામાં આવ્યો છે. ડેથ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે. ડિસ્ચાર્જની રસીદની સાથે અન્ય જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow