વિરાટ કોહલી, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડીઓએ પરસેવો પાડ્યો

વિરાટ કોહલી, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડીઓએ પરસેવો પાડ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આવતીકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. ત્યારે આવતીકાલે મેચમાં જીત મેળવવામાં માટે આજે બપોરે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ મેદાન પર નેટ પ્રેક્ટિસ કરી હતી. ભાદરવા મહિનામાં ઉનાળા જેવો તડકો પડી રહ્યો છે. બીજી તરફ, અસહ્ય બફારો હોવાથી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પરસેવે રેબઝેબ થયા હતા. ટીમના મેનેજર કેપ્ટન તેમજ કોચ દ્વારા પિચનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સખત તાપમાં નેટ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓ સાંજે 5 વાગ્યે પ્રેક્ટિસ કરવા પહોંચ્યા હતા અને નેટ પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આજે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે, આવતીકાલની મેચની ટીમમાં હાલની ટીમના 5 ખેલાડીઓ નહીં રમે. જેમાં શુભમન ગીલ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. છેલ્લા 10 વન-ડે ભારત માટે ખૂબ જ સારા રહ્યા છે અને વર્લ્ડકપ પહેલા આ સિરીઝ મહત્વની છે, કાલનો મેચ પડકારરૂપ હશે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow