પીયુષ ચાવલા MIનો ટોપ વિકેટ ટેકર બોલર રહ્યો

પીયુષ ચાવલા MIનો ટોપ વિકેટ ટેકર બોલર રહ્યો

IPL 2023નું ટાઈટલ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે હતું. ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવી ટીમે પાંચમી વખત ટ્રોફી જીતી હતી. આ સિઝનમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા જેવા યુવાનોએ સૌથી મોટી ફ્રેન્ચાઈઝી સ્ટેજ પર પોતાનું નામ બનાવ્યું હતું. બીજી તરફ, પીયુષ ચાવલા, ઈશાંત શર્મા અને મોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં પુનરાગમન કર્યું અને તેમની ટીમ માટે મેચ વિનર સાબિત થયા.

પિયુષ ચાવલા મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. જ્યારે ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન અજિંક્ય રહાણેએ મુંબઈ ઈન્ડિયન્સ સામે CSKની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી અને મોહિત શર્મા 2022નો ચેમ્પિયન ગુજરાતનો નવો ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ બન્યો.

મુંબઈ ઈન્ડિયન્સના લેગ સ્પિનર ​​પીયુષ ચાવલાએ આ સિઝનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. ચાવલાએ 2008માં પંજાબ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમ્યા બાદ ચાવલાની કારકિર્દીનો ગ્રાફ નીચે ગયો. ત્યાર બાદ ચાવલાને 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો, પરંતુ તેણે તેને માત્ર એક જ મેચ રમી હતી અને બાકીની મેચ માટે તેને બેન્ચ પર રાખ્યો હતો. ચાવલા 2022માં કોઈએ ખરીદ્યો નહોતો.

આ પછી મુંબઈ ઈન્ડિયન્સે 2023ની મિની ઓક્શનમાં તેના પર વિશ્વાસ દર્શાવ્યો અને 50 લાખ રૂપિયા આપીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. ચાવલા મુંબઈનો સર્વશ્રેષ્ઠ બોલર સાબિત થયો હતો. તેણે ટુર્નામેન્ટમાં 22 વિકેટ ઝડપી અને MIને પ્લેઓફમાં પહોંચવામાં મદદ કરવામાં મોટી ભૂમિકા ભજવી. તેણે 7થી 15 ઓવરની વચ્ચે 22માંથી 20 વિકેટ લીધી હતી. જે આ સિઝનમાં કોઈપણ બોલરે સૌથી વધુ વિકેટ લીધી છે.

રાઈટ આર્મ લેગ સ્પિનર ​​અમિત મિશ્રા IPL ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાંથી એક છે. ડેક્કન ચાર્જર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યા બાદ મિશ્રાએ તેની છેલ્લી સિઝન 2019માં દિલ્હી કેપિટલ્સ સાથે રમી હતી. ત્યારથી તે સતત વેચાયો નહોતો, કોઈપણ ટીમે તેના પર દાવ લગાવ્યો નહોતો.

ત્યારબાદ 2023માં લખનઉ સુપરજાયન્ટ્સે તેને 50 લાખ રૂપિયાની મૂળ કિંમતે પોતાની ટીમમાં સામેલ કર્યો. તેણે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે 7 મેચ રમી અને તેમાં 7 વિકેટ લીધી. મિશ્રાની IPL કારકિર્દીને LSG સાથે નવું જીવન મળ્યું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow