લોકો બહારથી ખાવાનું લાવીને ટોકિઝમાં ન ખાઈ શકે, સિનેમા માલિકોને રોકવાનો હક- સુપ્રીમ ચુકાદો

લોકો બહારથી ખાવાનું લાવીને ટોકિઝમાં ન ખાઈ શકે, સિનેમા માલિકોને રોકવાનો હક- સુપ્રીમ ચુકાદો

સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટ કરી દીધું છે કે સિનેમા હોલના માલિકોને એ અધિકાર છે કે તેઓ ફિલ્મ જોવા આવતા લોકોને બહારથી ખાવાનું લાવતા અટકાવી શકે. જમ્મુ-કાશ્મીર મલ્ટિપ્લેક્સના માલિકોએ 18 જુલાઈ, 2018ના રોજ હાઈકોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા નિર્ણયને પડકાર્યો હતો, જેમાં ફિલ્મ જોનારાઓને સિનેમા હોલની અંદર બહારનું ખાવાનું લાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

સિનેમા હોલ માલિકની ખાનગી સંપત્તિ
હાઈકોર્ટને નિર્ણયને ફગાવતા ચીફ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ અને જસ્ટિસ પી એસ નરસિમ્હાની બેંચે કહ્યું કે, "સિનેમા હોલ તેના માલિકની ખાનગી સંપત્તિ છે. જ્યાં સુધી તે જાહેર હિત, સલામતી અને કલ્યાણની વિરુદ્ધ ન હોય ત્યાં સુધી આવા નિયમો અને શરતો નક્કી કરવાનો માલિકને અધિકાર છે.

જલેબી અથવા તંદૂરી ચિકન ખાઈને સીટ ગંદી કરો તો કોણ સાફ કરશે
ખંડપીઠે અરજદારને કહ્યું હતું કે સિનેમા હોલ જીમ અથવા ખાવા માટેનું સ્થળ નથી પરંતુ મનોરંજનનું સ્થળ છે. જો કોઈ હોલની અંદર જલેબી અથવા તંદૂરી ચિકન લાવે અને ખાઈને ખુરશી સાથે હાથ લૂંછે તો જે ગંદુ થશે તે કોણ સાફ કરશે, આવા કિસ્સામાં માલિકને હક છે કે તે બહારથી ખાવાનું લાવતા લોકોને રોકે. અરજદારે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે સિનેમા હોલની અંદર ખાવાનું સારુ મળતું નથી તેથી દર્શકોને મોંઘા ભાવે ટોકિઝમાંથી લેવું પડતું હોય છે. આવા કિસ્સામાં દર્શકોને બહારથી ખાવાનું લાવવું પડતું હોય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow