જયલલિતાના પક્ષમાં નેતૃત્વની લડાઇમાં પલાનીસામીની જીત

જયલલિતાના પક્ષમાં નેતૃત્વની લડાઇમાં પલાનીસામીની જીત

તમિલનાડુની ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઇએડીએમકે)માં નેતૃત્વ અને વર્ચસ્વની લડાઇ પર સુપ્રીમકોર્ટે બ્રેક લગાવી દીધી છે. સુપ્રીમકોર્ટે ગુરુવારે ઇ. પલાનીસામી (ઇપીએસ) જૂથને મોટી રાહત આપતા મહાસચિવ તરીકે કામ ચાલુ રાખવાને લીલી ઝંડી આપી દીધી છે. તે પલાનીસામીના વિરોધી ઓ. પન્નીરસેલ્વમ જૂથ માટે મોટો ઝટકો મનાય છે.

મદ્રાસ હાઇકોર્ટે પલાનીસામીને એઆઇએડીએમકેને એકમાત્ર નેતાના રૂપમાં માન્યતા આપી હતી. એ નિર્ણયને પન્નીરસેલ્વમે સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. આ ચુકાદા પછી પક્ષનું સુકાન સંપૂર્ણપણે પલાનીસામી પાસે રહેશે.

હકીકતમાં પક્ષના દિવંગત વડાં જયલલિતાના નિધન પછી પક્ષ પર કબજાને લઇને વિવાદ શરૂ થઇ ગયો હતો. ત્યારે પન્નીરસેલ્વમ અને પલાનીસામી સાથે જયલલિતાના સાથીદાર શશીકલા પણ આ વિવાદમાં સામેલ હતાં. બાદમાં તેઓ અલગ થઇ ગયાં અને પક્ષ બે જૂથમાં વહેંચાઇ ગયો. એક જૂથ પલાનીસામી સાથે રહ્યો, તો બીજો પન્નીરસેલ્વમ સાથે જતું રહ્યું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow