સુરતમાં ઝડપાયેલા પાકિસ્તાની એજન્ટે કર્યા ખુલાસા: ક્રિપ્ટોકરન્સીથી મળતા હતા રૂપિયા, આ રીતે કરતો હતો સેનાની જાસૂસી

સુરતમાં ઝડપાયેલા પાકિસ્તાની એજન્ટે કર્યા ખુલાસા: ક્રિપ્ટોકરન્સીથી મળતા હતા રૂપિયા, આ રીતે કરતો હતો સેનાની જાસૂસી

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને પાકિસ્તાની એજન્સી ISIના સંપર્કમાં રહેલા એક ઈસમની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી હતી. સુરતમાં રહેતા દિપક સાલુંકે નામના ઇસમની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. કોર્ટ દ્વારા મંગળવાર સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. દિપક સાલુંકેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

કોર્ટે 6 દિવસના રિમાન્ડ કર્યા છે મંજૂર
સુરત પોલીસે જણાવ્યું કે,  સુરત ક્રાઈમ બ્રાન્ચને સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો દિપક સાલુંકે નામનો વ્યક્તિ પાકિસ્તાની એજન્સી ISIના એજન્ટ સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતો હોવાની માહિતી મળી હતી. જે બાદ ટીમે તેની ડીંડોલી વિસ્તારમાં આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટીમાંથી દિપક સાળુંકેની ધરપકડ કરી હતી. તેને સુરત સેશન કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના મંગળવાર સુધીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દિપક સાલુંકેએ શું ખુલાસો કર્યો?
પોલીસે જણાવ્યું કે, તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, દિપક પૂનમ શર્મા નામના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વાતચીત કરતા સમયે પાકિસ્તાનના હમીદ નામના ઈસમના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ હમીદે પોતે પાકિસ્તાનનો હોવાનું અને ISI માટે કામ કરતો હોવાનું દિપક સાલુંકેને જણાવ્યું હતું. ત્યારબાદ હમીદે દિપકને ભારતીય સીમકાર્ડ આપવાનું જણાવ્યું હતું અને દિપકે ભારતીય સીમકાર્ડ હમીદને આપ્યા હોવાની વાત પણ સામે આવી હતી. ત્યારબાદ આરોપી બે જુદા-જુદા મોબાઈલ નંબરથી તેની સાથે વોટ્સએપ પર અને ફેસબુક મારફતેથી દેશની ભારતીય સેના અંગેની કેટલીક અતિગુપ્ત સંવેદનશીલ માહિતીઓ આપી હતી. પોલીસ ધરપકડ પહેલા તમામ વ્હોટ્સએપ ચેટ ડીલીટ કરી દીધી હતી. દિપકના એકાઉન્ટમાંથી 75 હજાર 856 રૂપિયા મળી આવ્યા છે.

પાકિસ્તાની હમીદે મોકલી હતી 226 USDT ક્રિપ્ટો કરન્સી
દિપક ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જર 'BINANCE' માં પણ એકાઉન્ટ ધરાવતો હતો. પાકિસ્તાની હમીદે દિપકને 226 USDT ક્રિપ્ટો કરન્સી મોકલી હતી. ક્રિપ્ટો કરન્સી મોકલવામાં મહંમદ નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow