પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું

પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું

પાકિસ્તાને સતત 4 હાર બાદ વર્લ્ડ કપ 2023ની મેચ જીતી છે. ટીમે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાની બેટર્સે 32.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 205 રનના લક્ષ્યાંકને ચેઝ કર્યો હતો. ઓપનર ફખર ઝમને 81 રન અને અબ્દુલ્લાહ શફીકે 68 રનની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે સદીની ભાગીદારી હતી.

કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ 45.1 ઓવરમાં 204 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ વસીમ જુનિયર 3-3 વિકેટ લીધી હતી. આ જીત સાથે ટીમનો નેટ રન રેટ પ્લસ થઈ ગયો છે અને ટીમ 7 મેચમાંથી 3 જીત અને 4 હાર બાદ 6 પોઈન્ટ સાથે સેમિફાઈનલની રેસમાં છે. ટીમને વધુ 2 મેચ રમવાની છે. જો તેઓ જીતે તો ટીમ 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહી શકે છે અને સેમિફાઈનલ રમી શકે છે. બીજી તરફ બાંગ્લાદેશ તેની છઠ્ઠી હાર બાદ તળિયે છે. જો તેઓ બાકીની મેચ જીતે તો બાંગ્લાદેશના 6 પોઈન્ટ થઈ શકે છે, જ્યારે ટેબલમાં 4 ટીમ 8 પોઈન્ટ પર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ બહાર થઈ ગયું છે.

પાવરપ્લેમાં પાકિસ્તાનની જોરદાર શરૂઆત
પાવરપ્લેમાં પાકિસ્તાને જોરદાર શરૂઆત કરી હતી. ટીમે લાઇનઅપમાં ફેરફાર કર્યા અને ઈમામ ઉલ હકની જગ્યાએ ફખર ઝમનને ઓપનિંગ કરવાની તક આપવામાં આવી. ઓપનરોએ નાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને ધીમી શરૂઆત કરી હતી. પ્રથમ ઓવર 6 રનની હતી. આમાં બાંગ્લાદેશે રનઆઉટની તક ગુમાવી દીધી હતી. ત્યારબાદ બાંગ્લાદેશે સતત બે મેડન ઓવર ફેંકી હતી. શોરીફુલ ઈસ્લામે ચોથી ઓવરમાં 10 રન આપ્યા હતા. ટીમે અહીંથી વેગ પકડ્યો અને ઓછામાં ઓછા 5 રનની ઓવર સતત બનાવી. પાકિસ્તાની ઓપનરોએ દરેક ઓવરમાં બાઉન્ડરી ફટકારી અને આક્રમક અભિગમ રાખ્યો. ટીમે 10 ઓવરમાં 52 રન બનાવ્યા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow