પાકિસ્તાનમાં રાજકારણ ગરમાયું

પાકિસ્તાનમાં રાજકારણ ગરમાયું

પાકિસ્તાનમાં શિયાળાના આગમન વચ્ચે રાજકારણ ગરમાયું છે. પૂર્વ પીએમ ઈમરાન ખાન પર હુમલા બાદ રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યાં છે. પાક. સૈન્ય તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાની સૈન્યએ પોતાના બચાવમાં આગળ આવવું પડ્યું છે. પીએમ શાહબાઝ શરીફ રાજકીય રીતે ઘેરાયા બાદ સૈન્યના ખોળામાં જઈ બેઠાં છે.

વુડરો વિલ્સન સેન્ટરના એશિયા પ્રોગ્રામના ડેપ્યુટી ડિરેક્ટર માઈકલ કુગેલમેને કહ્યું કે હાલના સમયે રાજકીય રીતે પાક.માં ગંભીર સ્થિતિ છે. ગમે ત્યારે ભડકો બોલાઈ શકે છે. ઈમરાન ખાને મંગળવારથી ઈસ્લામાબાદ માટે લોન્ગ માર્ચ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.

પાકિસ્તાન પર 43 લાખ કરોડ રૂપિયાનું દેવું
પાકિસ્તાન પર લગભગ 43 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. તેના માટે પાકિસ્તાન ચીન, સાઉદી અરબ અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પર નિર્ભર છે. શાહબાઝ સરકારે લોનની મુદત વધારવા માટે ચીન અને આઈએમએફ જેવી એજન્સીઓને અપીલ કરી છે. આઈએમએફ સાથે નવી લોનની શરતો પૂરી કરવા શાહબાઝ સરકારે પેટ્રો પ્રોડક્ટની કિંમતો વધારી છે. તેના લીધે પાક.માં મોંઘવારી દર ઓલ ટાઈમ હાઈ 16 ટકાએ પહોંચી ગયો છે. વધતી મોંઘવારીને લીધે સામાન્ય નાગરિકો શાહબાઝ સરકારથી ભારે નારાજ છે.

FIR પર મામલો ગૂંચવાયો, પંજાબના IGનું રાજીનામુ
ઈમરાન પીએમ, મંત્રી અને મેજર જનરલ નસીર વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગ પર અડગ છે. પંજાબમાં ઈમરાનના ગઠબંધન હેઠળની સરકાર છે પણ પંજાબના સીએમ, જનરલ નસીર સામે કેસ નોંધવા તૈયાર નથી. દરમિયાન ઈમરાનના દબાણ હેઠળ ઈલાહી એફઆઈઆર નોંધવા રાજી તો થયા પણ તેના પર પંજાબના આઈજી સક્કરે રાજીનામુ આપી દીધું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow